મણિપુરના નોની જિલ્લામાં 29 જૂનના રોજ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 81 લોકોના મોત થયા છે. જ્યારે ટેરિટોરિયલ આર્મીના 18 જવાનોના મૃતદેહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અહીં ફસાયેલા લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આજે આ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના મંત્રીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
શુ હતી સમગ્ર ઘટના ?
મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર બુધવાર 29 જૂને મોડી રાત્રે એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. આ ઘટના બુધવારે મધ્યરાત્રિની આસપાસ બની હતી જ્યારે જીરીબામથી રાજધાની ઇમ્ફાલ સુધીની રેલ્વે લાઇનની સુરક્ષા માટે એક પ્રાદેશિક આર્મી કેમ્પ ત્યાં તૈનાત હતો. વાસ્તવમાં, જીરીબામને ઇમ્ફાલ સાથે જોડવા માટે એક રેલ્વે લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, જેની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ભૂસ્ખલનમાં ઘણા જવાન દટાયા હતા.
Noney landslide | Worst incident in the history of state...We have lost 81 people's lives of which 18 including territorial army (personnel) rescued; around 55 trapped. It will take 2-3 days to recover all the dead bodies due to the soil: Manipur CM N Biren Singh (1.07) pic.twitter.com/ktyEUI2nD3
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના મંત્રીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી એમ એન બિરેન સિંહે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
શુ કહ્યું મુખ્યમંત્રીએ ?
આ ઘટનાને ઈતિહાસની સૌથી દર્દનાક ઘટના ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 'રાજ્યના ઈતિહાસની આ સૌથી ખરાબ ઘટના છે. આ દુર્ઘટનામાં 81 લોકોના મોત થયા છે. 18 ટેરિટોરિયલ આર્મીના મૃતદેહોને બચાવી લેવાયા છે. હજુ પણ 55 લોકો ફસાયેલા છે. માટીના કારણે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં હજુ 2-3 દિવસનો સમય લાગશે.