Video / સુરતમાં બિલ્ડરે રૂપિયા ન ચુકવતા જમીન માલીકનો આપઘાત, આર્થિક ભીંસમાં મુકાતા આપઘાત કર્યો

સુરતમાં ભૂ-માફિયાઓના આતંક વધી રહ્યો છે. દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ બાદ વધુ એક જમીન માલીકે આપઘાત કરી લીધો છે. જમીન માલિક કિરીટ પટેલને બિલ્ડર મગન દેસાઇએ જમીનના નાણા ન ચૂકવતા આપઘાત કરી લીધો. જમીન માલિક કિરીટ પટેલે વ્યાજે નાણા લીધા હતા. ત્યારે સામે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. અને બિલ્ડરે પૈસા ન આપતા જમીન માલીક આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. અને દેવું વધી ગયું હતું. જેના કારણે જમીન માલીકે આપઘાત કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ