ED એ કહ્યું કે લગભગ 600 કરોડની સંપત્તિની માહિતી મળી આવી છે, જેમાં 350 કરોડ રૂપિયાની સંપત્તિ અચળ સંપત્તિઓનાં રૂપમાં છે અને 250 કરોડ રૂપિયાના વ્યવહારો વિવિધ બેનામીદારો દ્વારા થયા છે.
જમીનનાં બદલે નોકરી ઘોટાળામાં EDએ કર્યાં ખુલાસા
લાલૂની પાસેથી 600 કરોડની કુલ સંપત્તિની મળી માહિતી
સોનાથી લઈને અનેક મહત્વનાં ડોક્યુમેન્ટ્સ મળી આવ્યાં
નોકરીનાં બદલામાં જમીન ઘોટાળાની તપાસમાં સંકળાયેલી EDએ દિલ્હીથી લઈને પટના, મુંબઈ વગેરેમાં તેજસ્વી યાદવ સહિત અન્ય નેતાઓનાં સ્થાનો પર રેડ પાડી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ રેડ અંગે ઓફિશિયલ નિવેદન આપ્યું છે. શનિવારે EDએ જણાવ્યું કે આ રેડમાં 600 કરોડની કુલ સંપત્તિની માહિતી મળી આવી છે. માહિતી અનુસાર જમીનનાં બદલામાં નોકરીનો આ ઘોટાળો લાલૂ યાદવે વર્ષ 2004થી 2009ની વચ્ચે રેલમંત્રી હોવા સમયે કર્યો હતો. આરોપ છે કે જમીનનાં બદલે રેલ્વેમાં વિભિન્ન ઝોન્સમાં નોકરી આપવામાં આવી હતી.
Rs 1 crore of unaccounted cash seized, Rs 600 cr in proceeds of crime detected in raids against Lalu Prasad's family: ED on land-for-jobs case
રેડ બાદ આટલી સામગ્રી મળી આવી
EDએ કહ્યું કે તેમાં 350 કરોડ રૂપિયાની અચળ સંપત્તિ અને બેનામીદારોનાં માધ્યમથી 250 કરોડ રૂપિયાની લેણીદેણી સામેલ છે. અચળ સંપત્તિઓ અને લેણ-દેણ સિવાય ઈડીએ કુલ એક કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ, 1900 ડોલર સહિત વિદેશી મુદ્રા, 540 ગ્રામ સોનું અને 1.5 કરોડ રૂપિયાથી વધારે કિંમતના 1.5 કિલોગ્રામ સોનાનાં આભૂષણની સાથે-સાથે સંપત્તિનાં પેપર અને અન્ય કેટલાક મહત્વનાં ડોક્યુમેન્ટ્સ મળી આવ્યાં છે. ED એ શુક્રવારે 24 જગ્યાઓ પર રેડ પાડી હતી. તેજસ્વી સિવાય લાલૂની ત્રણ પુત્રીઓનાં ઘરે પણ રેડ પડી હતી.
જમીનોનું વર્તમાન મૂલ્ય 200 કરોડ રૂપિયા
EDએ પોતાના ઓફિશિયલ નિવેદનમાં જણાવ્યું કે નોકરીનાં બદલામાં જમીન ઘોટાળામાં અત્યાર સુધી કરવામાં આવેલી મની લોન્ડેરિંગ તપાસથી જાણવા મળ્યું છે કે પટના અને અન્ય ક્ષેત્રોમાં પ્રમુખ સ્થાનો પર જમીનનાં અનેક ટૂકડાઓ પૂર્વ રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવનાં પરિવાર દ્વારા ગેરકાયદેસર ધોરણે હસ્તગત કરેલ છે. જેના બદલામાં રેલ્વેમાં નોકરીઓ આપવામાં આવી છે. EDએ જણાવ્યું કે આ જમીનોનું વર્તમાન બજાર મૂલ્ય 200 કરોડ રૂપિયાથી વધારે છે.