રાજકોટના રાજવી પરિવારમાં સ્થાવર-જંગમ મિલ્કતોની વહેંચણી મામલે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.
રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો જંગ
માંધાતાસિંહના બહેને કર્યો આક્ષેપ
મિલકતમાંથી અંધારામાં રાખ્યાનો આક્ષેપ
વર્તમાન રાજા માંધાતાસિંહે પૈતૃક મિલ્કતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યા મતલબના મુદ્દે તેમના બહેન - રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. જે પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનવણી પૂર્ણ થઇ ગઇ છે અને ચુકાદો આવવા પર છે.
માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ સામે આવ્યો વિવાદ
જ્યારે સિવિલ કોર્ટમાં આગામી તા. ૩૧ ઓગસ્ટની મુદ્દત પડી છે. રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ - બહેન વચ્ચે મિલકતનો વિવાદ ઊભો થયો છે.
માંધાતાસિંહના બહેને કર્યો આક્ષેપ
જેમાં માજી રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રીલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલાદેવી કે, જેઓ ઝાંસી ખાતે વસવાટ કરે છે. તેમની વચ્ચે મિલકતને લઈ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં માધાપર અને સરધારની જમીનમાં માંધાતાસિંહ જાડેજાના બહેનનો હક જતો કરવાની નોંધ પછી સમગ્ર વિવાદ સામે આવ્યો છે. માંધતાસિંહે પોતે જ બહેનનું નામ રદ કરવાની અરજી કરી હતી. જે બાદ તેમના બહેનને નોટિસ મળી હતી. તેમના આધારે તેમને તકરારી દાખલ કરી હતી. જો કે, તેઓ ખુદ તો હાજર રહ્યા નહોતા. પરંતુ માંધાતાસિંહના બહેનના વકીલ હાજર રહ્યા હતા.
સમગ્ર વિવાદ અંગે ખુદ માંધાતાસિંહે મીડિયા સાથે કરી વાતચીત
રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પરિવારની આંતરીક બાબતોને લઈ કોઈ મીડિયામાં ગેરસમજ ઉભી ન થાય તે માટે સ્પષ્ટતા કરી હતી. માંધાતાસિંહે કહ્યું મારા પિતાજીના વિલમાં જે જે લોકોને સંપત્તિનો ભાગ આપવામાં આવ્યો છે. તે લોકોએ તેને સ્વિકાર કર્યો છે. અને તમામ વારસદારો જ્યારે રાજકોટમાં એકઠા થયા ત્યારે વિલના સમર્થનમાં રજિસ્ટ્રર કરેલા હતા. જે સબ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાયેલું છે. અને મારા પિતાજીએ બધાને જે આપવાનું હતું તે, આપીને અમે આગળ વધ્યા છીએ.