લોકસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. જ્યારે ચૂંટણી પહેલાં બિહારના રાજકારણમાં વિવાદ ઉભો થયો છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના દીકારા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવામાં ફૂટ પડી છે. બંનેએ આમને સામને પોત પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં વિવાદ ઉભો થયો છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના દીકારા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવામાં ફૂટ પડી છે. તેજ પ્રતાપ યાદવે લોકસભા ચૂંટણી માટે જહાનાબાદ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચંદ્રપ્રકાશને મેદાને ઉતારવાનું એલાન કર્યુ છે. જહાનાબાદ બેઠક પરથી તેમના અપક્ષ ઉમેદવાર ચંદ્રપ્રકાશ RJDના ઉમેદવાર સુરેન્દ્ર યાદવ વિરૂદ્ધ ચૂંટણી લડશે.
મહત્વની વાત છે કે બિહારમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયા બાદ તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ વચ્ચે જહાનાબાદ અને શિવહર લોકસભા બેઠકને લઈને વિવાદ ઉભો થયો હતો. તેજ પ્રતાપ યાદવ ઈચ્છતા હતા કે તેમના સહયોગી ચંદ્રપ્રકાશને જહાનાબાદથી ટિકિટ આપવામાં આવે અને અંગેશ સિંહને શિવહરથી લોકસભા બેઠકની સીટ આપવામાં આવે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આ વાતની જાહેરાત કરવા માટે બે દિવસ પહેલા તેજ પ્રતાપ યાદવે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું આયોજન પણ કર્યુ હતું. બાદમાં લાલુ પ્રસાદ યાદવના હસ્તક્ષેપ બાદ પ્રેસ કોન્ફરન્સ રદ કરવામાં આવી હતી.