કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહેલા આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદને બચાવવા માટે તેમની દિકરી રોહિણી આગળ આવી છે.
પુત્રી રોહિણી લાલુને આપશે કિડની
સિંગાપુરમાં થશે કિડની ટ્રાન્સપ્લાન્ટ
હાલમાં રોહિણી અને લાલુ છે સિંગાપુરમાં
આરજેડી નેતા લાલુ યાદવ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત છે. હવે સમાચાર આવી રહ્યા છે કે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય જે સિંગાપુરમાં રહે છે. તે તેના પિતાને કિડની દાન કરશે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેમની દીકરીના વખાણ થઈ રહ્યા છે. આ વાતનો ખુલાસો નજીકના પરિવારના એક સભ્યએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 74 વર્ષીય લાલુ યાદવ હાલમાં જ પોતાની કિડનીની બીમારીની સારવાર કરાવીને સિંગાપુરથી પરત ફર્યા છે.
जिस पिता ने इस दुनिया में मुझे आवाज दी. जो मेरे सबकुछ हैं, उनके लिए अगर मैं अपने जीवन का छोटा सा भी योगदान दे पाती हूँ तो मेरा परम सौभाग्य होगा.
धरती पर भगवान माँ पिता होते है इनकी पूजा सेवा हर बच्चों का फ़र्ज़ है. pic.twitter.com/g39Ry2Me3s
સિંગાપુર નિવાસી રોહિણી આચાર્યે લાલુને આપશે કિડની
લાલુ ઘણા પ્રકારની બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ડોક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે. પરિવારના એક સભ્યએ પીટીઆઈને જણાવ્યું હતું કે સિંગાપોરમાં રહેતી તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેના પિતાને કિડની દાન કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ રોહિણીએ પોતે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. રોહિણીએ લખ્યું છે કે મારા માતા-પિતા મારા માટે ભગવાન છે. તેઓએ તેમના માટે પોતાનું આખું જીવન બલિદાન આપ્યું છે. રોહિણીએ લખ્યું કે હું માનું છું કે આ માત્ર માંસનો એક નાનો ટુકડો છે જે હું મારા પિતા માટે આપવા માગું છું. તમારી શુભેચ્છાઓ માટે ફરી એક વખત તમારો આભાર.
લાલુની કિડની ફેલ
લાલુપ્રસાદ યાદવની બન્ને કિડની ફેલ થઈ છે અને તેમને ડાયાલિસીસ પર રાખવામાં આવી રહ્યાં છે.