રિમ્સમાં ભરતી RJD સુપ્રીમો લાલૂ યાદવની તબિયત ખરાબ થયા બાદ ડોક્ટર્સે તેમને દિલ્હી AIIMSમાં રેફર કર્યા છે.
લાલૂ પ્રસાદ યાદવની તબિયત બગડી
એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાયા
કેટલીય બિમારીઓએ કર્યું છે ઘર
રિમ્સમાં ભરતી RJD સુપ્રીમો લાલૂ યાદવની તબિયત ખરાબ થયા બાદ ડોક્ટર્સે તેમને દિલ્હી AIIMSમાં રેફર કર્યા છે. જે બાદ તેમને એર એમ્બ્યુલેંસથી દિલ્હી લઈ જવામા આવ્યા છે. લાલૂ પ્રસાદ રિમ્સથી એરપોર્ટ માટે રવાના પણ થઈ ગયા છે.
મંગળવારે સવારે તેમની તબિયત ખરાબ થયા બાદ રિમ્સમાં તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે મેડિકલ બોર્ડ બનાવામાં આવ્યું હતું. જે બાદ મંગળવારે બપોરે મેડિકલ બોર્ડની બેઠક થઈ હતી. બેઠક બાદ રિમ્સના ડાયરેક્ટર ડો. કામેશ્વર પ્રસાદે કહ્યું કે, લાલૂ યાદવની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. તેમને હાર્ટ અને કિડની પર અસર થઈ છે. તેમણે કહ્યું કે, વધું સારવાર માટે તેમને AIIMS મોકલવામાં આવે.
દિકરી મીસા ભારતી પણ સાથે ગઈ
ચાર કૌભાંડના ડોરંડા કેસમાં સજા કાપી રહેલા લાલૂ પ્રસાદ રિમ્સના પેઈંગ વોર્ડમા સારવાર લઈ રહ્યા હતા. લાલૂની કિડની 80 ટકા કામ કરતી નથી. મંગળવારે અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમની કિડનીમાં ઈંફેક્શન ઝડપથી વધી રહ્યું છે. ત્યાર બાદ રિમ્સ મેનેજમેન્ટે દિલ્હી એમ્સ રેફર કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ત્રણ ડોક્ટર્સની દેખરેખમાં એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી પહોંચાડાવમાં આવ્યા છે. આ દરમિયાન તેમની સાથે તેમની દિકરી મીસા ભારતી પણ રહી હતી.