ચારા કૌભાંડના મામલામાં જેલની સજા ભોગવી રહેલા લાલૂ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલૂ યાદવની જામીન અરજીને ખારિજ કરી દીધી છે.
લાલુ યાદવે સ્વાસ્થય સારુ ન હોવાના આધાર પર જામીન માંગ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. જોકે હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.
Supreme Court dismisses RJD president Lalu Prasad Yadav's bail plea in three cases of the multi-crore fodder scam. pic.twitter.com/0BTgu7qj7F
લાલૂ યાદવની અરજી ખારિજ થયા પછી RJPના સાંસદ મનોજ ઝાએ કહ્યુ કે, ''લાલૂ પ્રસાદ યાદવની તબિયત ઠીક નથી, તેમણે મેડિકલ કેરની વધારે જરૂર છે. કોર્ટના નિર્ણયનો અમે સન્માન કરીએ છીએ તેમ છતાં હું કહીશ કે સારી સારવારની વધારે જરૂર છે.''
1980ના દશકા પછી બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી છે જે લાલુ પ્રસાદ યાદવ વગર લડવામાં આવી રહી છે. રાષ્ટ્રીય જનતા દળની કમાન તેમના હાથમાં છે પરંતુ તેમના બંને દીકરાઓમાં જ સારા સંબંધો નથી. તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે આરજેડી વિરુદ્ધ નવી પાર્ટીની શરૂઆત કરી છે અને લાલુ રાબડી મોર્ચો બનાવીને બે જગ્યાએથી ઉમેદવાર ઉભા રાખવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ સ્વાસ્થ્યના આધાર પર બહાર આવવા ઇચ્છીએ છીએ પરંતુ CBIએ કહ્યુ કે, ''બહાર આવીને લાલૂ પ્રસાદ યાદવ રાજનીતિ કરશે.''