બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે પીએમ મોદીએ ડબલ એન્જિન અને ડબલ યુવરાજ પર આપેલા નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે
લાલૂ યાદવે કહ્યું કે ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિનની સરકાર છે
તેજસ્વીએ પૂછ્યું કે ડબલ એન્જિનની સરકારમાં આટલી બેરોજગારી કેમ છે
બિહારમાં ચૂંટણીમાં મહાટક્કર :
બિહારમાં ત્રણ દાયકામાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં લાલૂપ્રસાદ યાદવ દેખાઈ નથી રહ્યા પરંતુ સોશ્યલ મીડિયા પર તેઓ ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે અને ભાજપ પર હુમલાઓ પ કરી રહ્યા છે. લાલૂએ આજે વડાપ્રધાન મોદી પર ફરીવાર હુમલો કર્યો છે અને કહ્યું કે ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. લોકડાઉનમાં ફસાયેલા લોકોને પાછા લાવવાના સમયે આ ડબલ એન્જીન ક્યાં જતું રહ્યું હતું ?
यह ड़बल इंजन नहीं ट्रबल इंजन है।
लॉकडाउन में फँसे मज़दूरों को वापस लाने के वक़्त ड़बल इंजन कहाँ था?
નોંધનીય છે કે આજે વડાપ્રધાન મોદીએ બિહારમાં ડબલ એન્જિનને લઈને એક ભાષણ આપ્યું હતું જે બાદ લાલૂ યાદવની આ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે અને બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે. એક જંગલરાજના યુવરાજ પણ છે. ડબલ-ડબલ યુવરાજ પોતપોતાના સિંહાસન બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે.
बिहार में एक तरफ डबल इंजन की सरकार है जो बिहार के विकास के लिए प्रतिबद्ध है,
आदरणीय प्रधानमंत्री जी ने यह नहीं बताया कि ड़बल इंजन सरकार के चलते बिहार की बेरोजगारी दर 46.6% क्यों है? बिहार के हर दूसरे घर से पलायन क्यों होता है? NCRB के आँकड़ो में बिहार अपराध में अव्वल क्यों है? नीति आयोग के अनुसार शिक्षा स्वास्थ्य क्षेत्रों में बिहार फिसड्डी क्यों है?
પીએમ મોદીની આ ટિપ્પણી બાદ તેજસ્વી યાદવે પીએમ મોદીએ સવાલ કર્યો હતો કે ડબલ એન્જિન સરકાર છે તો બિહારમાં બેરોજગારી દર 46.6% કેમ છે ? બિહારમાં દર બીજા ઘરમાંથી પલાયન કેમ થઇ રહ્યું છે ?