બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવને આજે શુક્રવારે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી દીધી છે.
બિહારના પૂર્વ સીએમ લાલૂ યાદવને સીબીઆઈ કોર્ટમાંથી મળી મોટી રાહત
કોર્ટે તેમનો પાસપોર્ટ રિલીઝ કરી દીધો
સારવાર અર્થે સિંગાપુર જવાના છે લાલૂ યાદવ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ યાદવને આજે શુક્રવારે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી દીધી છે. કોર્ટે લાલૂ યાદવની અરજી પર સુનાવણી કરતા તેમનો પાસપોર્ટ રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમને સિંગાપુર જવાની મંજૂરી પણ આપી દીધી છે. લાલૂ યાદવે કોર્ટમાં પોતાનો પાસપોર્ટ રિલીઝ કરવા માટે અરજી કરી હતી. દલીલ હતી કે તેમને ઈલાજ માટે સિંગાપુર જવાનું છે. ત્યાં તેમની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવાની છે. હજૂ સુધી કોર્ટે લાલૂ યાદવને દેશ છોડવા પર રોક લગાવી રાખી હતી. તેના માટે તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો.
આપને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજદ સુપ્રીમોએ પોતાનો પાસપોર્ટ રિલીઝ કરવા માટે પોતાના વકીલ માધ્યમથી કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે આ અરજી પર જોરદાર દલીલો થઈ હતી. દલીલ દરમિયાન લાલૂના વકીલે તેમના સ્વાસ્થ્યનો હવાલો આપતા દલીલો રજૂ કરી હતી. કોર્ટે પણ સંવેદનશીલતા દેખાડતા તેમનો પાસપોર્ટ રિલીઝ કરવાની સાથે જ તેમને સિંગાપુર જવાની મંજૂરી આપી છે. લાલૂ યાદવને 24 સપ્ટેમ્બરે સિંગાપુર જવાનું છે. તેના માટે તેમને પહેલા જ સિંગાપુરની હોસ્પિટલમાં અપોઈન્ટમેંટ લઈ રાખી છે. બહુચર્ચિત ઘાંસચારા કૌભાડમાં દોષિત ઠર્યા બાદથી લાલૂ પ્રસાદ યાદવનો પાસપોર્ટ સીબીઆઈની વિશેષ કોર્ટમાં જમા કરાવી લીધો હતો.
પહેલા પણ કરી ચુક્યા છે પ્રયાસ
પાસપોર્ટ રિલીઝ કરાવવા માટે લાલૂ પ્રસાદ યાદવે અગાઉ પણ પ્રયાસો કર્યા છે. પણ કાયદાકીય અડચણોના કારણે સફળતા મળી નહોતી. હવે તેમને પોતાની કિડની ટ્રાંસપ્લાન્ટેશનનો હવાલો આપતા સીબીઆઈ કોર્ટમાંથી પાસપોર્ટ રિલીઝ કરવાની આજીજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે. લાલૂ છેલ્લા કેટલાક દિવસથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમની સારવાર હાલમાં સ્થાનિક ડોક્ટરો કરી રહ્યા છે. હાલમાં જ ડોક્ટર્સે તેમને જલ્દીથી કિડની ટ્રાંસપ્લાંટેશન કરવાની સલાહ આપી હતી.