આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવનું પુસ્તક 'ગોપાલગંજ ટૂ રાયસીના: માય પૉલિટિકલ જર્ની' જલ્દીથી આવવાની છે. લાલૂએ આ પુસ્તકમાં દાવો કર્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થયાના 6 મહિના બાદ ફરીથી મહગઠબંધનમાં સામેલ થવા ઇચ્છતા હતા. પરંતુ એના માટે એ રાજી થયા નહીં.
લાલૂ યાદવે પોતાની આ આત્મકથામાં દાવો કર્યો છે કે ફરીથી મહાગઠબંધનમાં સામેલ થવા માટે નીતિશ કુમારે પોતાના સહયોગી પ્રશાંત કિશોરને 5 વખત એમની પાસે વાતચીત માટે મોકલ્યા. પરંતુ લાલૂએ નીતિશને ફરીથી મહાગઠબંધનમાં લેવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. લાલૂના આ પુસ્તક માનીએ તો એમને નીતિશ કુમારની મહાગઠબંધનમાં ફરીથી એન્ટ્રી પર એટલા માટે રોક લગાવી દીધી કારણ કે નીતિશે એમને ભરોસો તોડી નાંખ્યો અને એ ફરીથી એમની પર ફરીથી વિશ્વાસ કરી શકતા નહતા.
લાલૂએ આ પુસ્તકમાં કહ્યું છે કે એમને નીતિશ કુમાર સાથે કોઇ નારાજગી નહતી, પરંતુ એમને એ વાતને લઇને ચિંતા હતી કે જો એમેને પ્રશાંત કિશોરની વાત માનીને નીતિશને ફરીથી મહાગઠબંધનમાં સામેલ કરી લીધા તો બિહારની જનતા એમને કેવી રીતે લેશે.
લાલૂએ એના પુસ્તકમાં એવો પણ દાવો કર્યો છે કે નીતિશ કુમારને ફરીથી મહાગઠબંધનમાં સામેલ કરાવવા માટે પ્રશાંત કિશોરે એમના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પણ મુલાકાત કરી હોત.