રાંચીઃ ઘાસચારા કૌભાંડનાં ચાર મામલાઓનાં દોષિત અને આરજેડી સુપ્રિમો અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત હાલમાં ઠીક નથી. તેઓની તબિયત એક વાર ફરીથી નાદુરસ્ત થઇ ગઇ છે. તેઓ હાલમાં બરાબર રીતે ચાલી પણ નથી રહ્યાં. તેઓનાં પગમાં ઉંડા ઘા અને ઉપર સુધી સોજો થઇ ગયો છે.
રાંચીનાં રિમ્સમાં ઇલાજ ચાલી રહેલ લાલૂની દેખરેખ કરી રહેલ વરિષ્ઠ ચિકિત્સક ડૉ. ઉમેશ પ્રસાદે શુક્રવારનાં રોજ જણાવ્યું કે વીતેલા ત્રણ-ચાર દિવસોમાં તેઓનાં સ્વાસ્થ્યમાં સતત નબળાઇ જોવા મળી રહી છે.
વર્તમાનમાં તેઓની હાલત ચિંતનીય છે. તેઓનાં પગમાં ઘાને કારણ પરેશાની થઇ ગઇ છે. કિડની ફેલ્યરની આશંકા જતાવતા ડોક્ટરે કહ્યું કે લાલુનું ક્રિટનિન લેવલ 1.85 પર પહોંચી ગયેલ છે. જે તેઓનાં નબળા સ્વાસ્થ્ય તરફ ઇશારો કરી રહેલ છે.
એક બાજુ લાલુ પ્રસાદ યાદવનાં નબળા સ્વાસ્થ્યને લઇને ડૉક્ટરો સતત ચિંતા કરી રહેલ છે. લાલુ પ્રસાદની સારવાર શરૂ રાખવાને લઇને ડૉક્ટરો સતત અસ્વસ્થ થઇ રહ્યાં છે. ડૉક્ટરોનું કહેવું એમ છે કે જો આગામી બે-ત્રણ દિવસોમાં લાલુજીની તબિયત જો નહીં સુધરે તો તેઓને રાંચી ખાતે હોસ્પિટલમાં મોકલવા પર વિચાર કરવામાં આવી શકે છે. જરૂરિયાત પડવા પર જેલ પ્રશાસન અથવા રાજ્ય સરકારને આ અંગે ભલામણ કરવામાં આવશે.