બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રિય જનતા દળ (RJD) માટે એક સારા સમાચાર આવ્યાં છે. ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ચાઇબાસા ટ્રેજરી કેસમાં જામીન મળી ગયા છે. જો કે લાલૂ પ્રસાદ યાદવ હજી જેલથી બહાર નીકળી શકશે નહીં. કેમ દુમકા ટ્રેજરી કેસની સુનાવણી હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદ યાદવે ચાઇબાસા ટ્રેજરી કેસમાં પોતાની અડધી સજા કાપી લીધી છે.
ઉલ્લેખનીય છે કે ચાઇબાસા ટ્રેજરી કેસમાં લાલૂ યાદવે અડધી સજા પૂરી કરી લેવાનો સંદર્ભ આપતા જામીન માટે અરજી કરી હતી. ગત સૂનાવણીમાં CBIએ કહ્યું હતું કે હજી અડધી સજા પૂરી થવામાં 26 દિવસ બાકી છે. ત્યાર બાદ મામલાની સૂનાવણી 9 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી હતી. આજે લાલૂ યાદવે ચાઇબાસા કેસમાં જામીન મળી ગઇ છે.
જો કે, ચાઇબાસા મામલામાં જામીન મળ્યા પછી પણ લાલૂ યાદવને જેલમાં જ રહેવું પડશે, કારણ કે ચારા કોભાંડના દુમકા કેસમાં સજા દોષિત છે અને આ મામલામાં લાલૂ પ્રસાદ યાદવને જામીન મળવાના બાકી છે. નવેમ્બરમાં દુમકા કેસમાં પણ લાલૂ યાદની સજા અડધી પુરી થવા જઇ રહી છે. લાલૂ યાદવના વકીલ આશા કરી રહ્યાં છે કે નવેમ્બર પછી તેઓ જેલામાંથી બહાર આવી શકે છે.
Former Bihar CM Lalu Prasad Yadav granted bail by Jharkhand High Court, in the Chaibasa Treasury case related to fodder scam.
However, he will remain in jail since the Dumka treasury case is still pending. pic.twitter.com/RDk0eKS78F