લાલૂ પ્રસાદ યાજવ ચારા ગોટાળામાં ડોરંડા કેસમાં દોષિત સાબિત થયા છે. સજા સંભળાવવાની હજૂ બાકી છે. આ કેસમાં લાલૂ સહિત કુલ 99 આરોપીઓ હતાં.
લાલૂ યાદવ દોષિત સાબિત થયાં
ઘાંસચારા કૌભાંડમાં આવ્યો મોટો ચુકાદો
139 કરોડની ઉઠાંતરી કેસમાં દોષિત થયાં
લાલૂ પ્રસાદ યાજવ ચારા ગોટાળામાં ડોરંડા કેસમાં દોષિત સાબિત થયા છે. આ મામલો ડોરંડા કોષાગારથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરી સાથે જોડાયેલ છે. રાંચિ સ્થિત આવેલી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. હાલમાં સજાની જાહેરાત બાકી છે. જો ત્રણ વર્ષથી ઓછી સજા થાય છે તો અહીંથી લાલૂને જામીન મળી જશે. કોર્ટ હવે લાલૂ પ્રસાદ યાદવ સહિત 41 લોકો પર 21 ફેબ્રુઆરી ચુકાદો આપશે, આ કેસમાં દોષિત સાબિત થયેલા લોકો પર સજા સંભળાવવામાં આવશે.
Fodder scam: RJD chief Lalu Prasad Yadav convicted of fraudulent withdrawal from Doranda treasury by a CBI Special Court in Ranchi pic.twitter.com/J9AvvhmOjk
લાલૂ પ્રસાદ યાદવની તબિયત હાલમાં સારી નથી. માનવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈ કોર્ટ આ વાત ધ્યાનમાં રાખીને કંઈક રાહત આપી શકે છે. જો કે, પાછલા કેસમાં જોઈએ તો, લાલૂ યાદવને સીબીઆઈ કોર્ટે રાહત આપી નહોતી. ચારા કૌભાંડ સાથે જોડાયેલ કેસમાં લાલૂને પાંચથી સાત વર્ષ સુધીની સજા થઈ હતી. બાદમાં હાઈકોર્ટમાંથી લાલૂને રાહત મળી હતી.
139 કરોડની ઉઠાંતરીનો છે આ મામલો
ઘાંસચારા કૌભાંડનો આ મામલો ડોરંડા કોષાગાર સાથે જોડાયેલ છે. તેમાં 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરીની વાત સામે આવી હતી. ચારા કૌભાંડમાં સૌથી મોટી આરસી 47એ/96નો આ મામલો હકીકતમાં 1990થી 1995ની વચ્ચેનો છે. તેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટેમાં સુનાવણી ચાલી રહી હતી. રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ આ મામલામાં મુખ્ય આરોપી છે. પૂર્વેમાં પણ ચારા કૌભાંડમાં અલગ અલગ કેસોમાં લાલૂ યાદવ હાલમાં હાઈકોર્ટથી જામીન મળ્યા હતાં.
શું છે ડોરંડા કોષાગાર મામલો
ચારા કૌભાંડનો આ મામલો ડોરંડા ભંડોળ સાથે જોડાયેલ છે. તેમાં 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રીતે ઉઠાંતરીની વાત સામે આવી હતી. ઘાંસચારા કૌભાંડમાં સૌથી મોટી આરસી 47એ/69નો આ મામલો હકીકતમાં 1990થી 1995ની વચ્ચેનો છે, જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પૂર્વમાં ચારા કૌભાંડમાં અલગ અલગ કેસમાં લાલૂ યાદવને હાઈકોર્ટમાંથી જામીન મળી છે.
આ કેસમાં કુલ 99 આરોપી
ડોરંડા ભંડોલ સાથે જોડાયેલ આ કેસની શરૂઆતમાં 170 આરોપી હતા. તેમાંથી 55 આરોપીઓના મોત થઈ ચુક્યા છે. બાદમાં દીપેશ ચાંડક અને આરકે દાસ સહિત સાત આરોપીઓને સીબીઆઈને સાક્ષી આપી હતી. તો વળી સુશીલ ઝા અને પીકે જયસ્વાલે કોર્ટના નિર્ણય પહેલા જ પોતાની જાતને દોષિત માની લીધા હતા.
આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડો. આરકે રાણા, પીએસીના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગત, તત્કાલિન પશુપાલન સચિવ બેક જૂલિયસ, પશુપાલન વિભાગના સહાયક નિર્દેશક ડો. એમ પ્રસાદ સહિત 99 આરોપી છે.