SOU પાસે ટેન્ટસિટી બનાવવા રૂ.1 રૂપિયામાં ટોકન ભાવે જમીન આપી છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવાઇ છે.
SOU પાસે ટેન્ટસિટી બનાવવા રૂ.1 રૂપિયામાં ટોકન ભાવે જમીન આપી
30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવાઇ
રાજ્ય સરકાર અને લલ્લુજી સન્સ વચ્ચે કોઇ સાંઠગાંઠ ચાલી રહીછે?
ટેન્ટસીટી કૌભાંડ આચરનાર કંનપી પર સરકારના ચાર હાથ છે. લલ્લુજી એન્ડ સન્સ પર ગુજરાત સરકાર મહેરબાન છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળોના કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સને આપવામાં આવ્યો છે. કચ્છમાં રણોત્સવનો કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સ પાસે છે.
SOU ટેન્ટસિટીનો કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સ પાસે છે. સરકાર લલ્લુજી એન્ડ સન્સને મલાઇદાર મિલકતો ગીફ્ટમાં આપી છે. SOU પાસે ટેન્ટસિટી બનાવવા રૂ.1 રૂપિયામાં ટોકન ભાવે જમીન આપી છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવાઇ છે.
કોરોનાકાળમાં પણ લલ્લુજી સન્સને ફાયદો કરાવવા ઉદારનીતિ અપનાવાઈ રહી છે. લલ્લુજી સન્સ કંપની પ્રવાસીઓને ખીસ્સા ખંખેરવાનું કામ કરે છે. લલ્લુજી સન્સની ઉઘાડી લૂંટ સામે સરકાર એક શબ્દ ઉચ્ચરતી નથી. પ્રવાસીઓ પાસેથી એક રાત્રના રોકાણ માટે 15 હજાર જેટલી રકમ વસૂલાય છે? એટલું જ નહીં અધિકારીઓની લલ્લુજી એન્ડ સન્સ કંપની ખાતરદારી કરે છે. અધિકારીઓના મહેમાનોને મફતમાં સર્વિસ આપે છે લલ્લુજી એન્ડ સન્સનું કૌભાંડ સામે આવ્યા બાદ પણ ગુજરાતમાં લલ્લુજી સન્સ સામે કોઇ કાર્યવાહી કેમ નથી કરાઈ?
સળગતા સવાલ
રાજ્ય સરકાર અને લલ્લુજી સન્સ વચ્ચે કોઇ સાંઠગાંઠ ચાલી રહીછે?
અધિકારીઓ કેમ લલ્લુજી સન્સ કંપની પર મહેરબાન છે?
લોકો પાસેથી જમીન લઇ લલ્લુજી સન્સને કેમ પધરાવી દેવાય છે?
કંપનીને ફાયદો કરાવવા ઘોરડો ખાતે રણોત્સવને મંજૂરી અપાઇ હતી
લલ્લુજી સન્સના ચૂકવણા અંગે કેમ કોઇ તપાસ કરવામાં આવતી નથી?
વધુ પ્રવાસીઓ આવતા હોય તેવા સ્થળો પર લલ્લુજી સન્સને કેમ કોન્ટ્રાક્ટ?
પ્રવાસીઓ પાસેથી એક રાત્રના રોકાણ માટે 15 હજાર જેટલી રકમ વસૂલાય છે
ગુજરાતમાં પણ મોટા ભાગના સરકારી કાર્યક્રમોમાં હોય છે કોન્ટ્રાક્ટ
મહત્વનું છે કે ગુજરાતના કચ્છમાં દર વર્ષે યોજાતા રણોત્સવમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટીની સુવિધાનો કોન્ટ્રાક્ટ આ જ લલ્લુજી એન્ડ સન્સ કંપની ધરાવે છે. આ સિવાય સરકારની પણ મોટાભાગની ઈવેન્ટમાં આ કંપનીને જ આયોજન માટે કોન્ટ્રાક્ટ અપાય છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, કચ્છમાં રણ ઉત્સવ તથા કેવડીયા ખાતે ટેન્ટ સીટી જેવા પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત લાલુજી એન્ડ સન્સ દ્વારા નવરાત્રી, પતંગ મહોત્સવ, રણ ઉત્સવ, બીચ ફેસ્ટિવલ તથા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજીત વિવિધ મેળા-ઉત્સવોનું કામ કરે છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત વહેતી થઈ છે અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ લાલુજી એન્ડ સન્સને આપવામાં આવેલ આ તમામ કોન્ટ્રાક્ટની તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત જો કે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ કંપની ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે.
કુંભ મેળામાં ટેન્ટ સિટીના કોન્ટ્રાક્ટ માં 109 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર
લલ્લુજી એન્ડ સન્સની ઉત્તરપ્રદેશ સરકારના સરકારી નાણાં ઉચાપત કરવાને મામલે મુશ્કેલીઓ વધી છે. ગત વર્ષે થયેલા કુંભ મેળામાં ટેન્ટ સિટીના કોન્ટ્રાક્ટ દરમ્યાન આપેલી સુવિધામાં 109 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ યુપી સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે. અધિકારી દયાનંદ પ્રસાદે મેસર્સ લલ્લૂજી એન્ડ સન્સ સહિત 11 વિરૂદ્ધ ઉત્તર પ્રદેશના દારાગંજ પોલીસ સ્ટેશનમાં 109 કરોડ રૂપિયા બિલ તૈયારી કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. આ હાઈપ્રોફાઇલ કેસની પોલીસ તપાસ કરી રહી છે અને દારાગંજ ઇન્સ્પેક્ટરને કરોડો રૂપિયાના આ ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી છે. પ્રયાગરાજ કુંભમેળા સમિતિએ પાંચ વર્ષ માટે લલ્લુજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટ કરી છે, ત્યારે આ બ્લેકલિસ્ટની કાર્યવાહી અયોગ્ય હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
કોની કોની સામે થઈ ફરિયાદ?
કુંભ મેળા અધિકારી દયાનંદ પ્રસાદ તરફથી શુક્રવાર રાત્રે કરોડો રૂપિયાના નકલી બિલ વાઉચર બનાવવાના આરોપમાં મેમર્સ લલ્લૂજી એન્ડ સન્સ સિવાય નવી દિલ્હીના રમેશ કુમાર અગ્રવાલ, પ્રયાગરાજના જગદીશ કુમાર અગ્રવાલ, વિનોદ કુમાર અગ્રવાલ, લખનૌના સુનીલ અગ્રવાલ, નવી દિલ્હીના વિપુલ અગ્રવાલ, મુકુલ અગ્રવાલ અને રામબાગના હિમાશું અગ્રવાલ, નિખિલ અગ્રવાલ, ઉપાંશુ કુમાર અને દીપાંશુ કુમાર અગ્રવાલ વિરૂદ્ધ દારાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPCની કલમ 403, 419, 420, 467, 471 અને 120 B હેઠલ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ફરિયાદ બાદ ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.
આરોપ છે કે, કુંભ 2019 દરમિયાન ટેન્ટ, ટીન, ફર્નીચર સહતિ ભાડા પર લેવામાં આવ્યું હતું. આના માટે એક કરાર પણ થયો હતો. તેમ છતા ભ્રષ્ટાચાર કરીને તેમણે સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના પ્રયત્નો કર્યા છે.
કેવી રીતે પકડાયું કૌભાંડ?
લલ્લુજી અને સન્સ કંપનીએ કુંભમેળા સમિતિ પાસેથી આયોજન પેટે કુલ 171 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લીધુ હતું. બાદમાં ફાઈનલ હિસાબ સમયે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કુંભમેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
FIR અનુસાર, કુંભ મેળા 2019માં સરકાર તરફથી મંજુર બજેટથી એજન્સી તરફથી અલગ અલગ વિભાગોને પોતાના જરૂરી સેવાઓ માટે કુલ 171 કરોડ રૂપિયા પેમેન્ટ મેળવ્યું હતું. ત્યારબાદ પણ 109.85 કરોડનું વધુ પેમેન્ટ મેળવવા માટે કોડ બનાવટ એજન્સી અને ભાગીદારો તરફથી મળીને કરવામાં આવી છે. શરૂઆતી તપાસમાં જણાયું હતું કે 86 કરોડના બિલ બરાબર હતા, પરંતુ 109 કરોડના વાઉચર અને બિલ નકલી હતા. ટેન્ટની સર્વિસના ખોટા બિલ રજૂ કરીને કંપનીએ પેમેન્ટની માગણી કરી હતી.
IG કે.પી. સિંહે કહ્યું કે સજા થશે
કરોડો રૂપિયાના નકલી બિલ બનાવવાનો મામલો સામે આવવા પર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તપાસમાં જો સાબિત થશે તો આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે.