ગુજરાતમાં વિધાનસભની ચૂંટણીઓ પહેલા ફરી પાટીદરા આંદોલન સંક્રિય થયા એવા સંકેત, SPGએ આંદોલનને સક્રિય કરવા આપ્યા સંકેત
ચૂંટણી પૂર્વે ફરી એકવાર આંદોલનો સક્રિય થશે
SPGએ આંદોલનને સક્રિય કરવા આપ્યા સંકેત
સરકાર કરેલી વાયદા ભૂલી હોવાનો આરોપ
ગુજરાતમાં વિધાનસભની ચૂંટણીઓ પહેલા ફરી પાટીદરા આંદોલન સંક્રિય થયા એવા સંકેત મળી રહ્યા છે. SPG પ્રમુખ લાલાજી પટેલે ચૂંટણી પહેલા આંદોલનને લઈ નિવેદન આપતા કહ્યું છે કે આ વખતે ભૂતકાળની ભૂલોને ફરી દોહરાવવામાં નહી આવે, કોઇ ચહેરો પાટીદાર આંદોલનનું નેતૃત્વ નહીં કરે,
SPGએ આંદોલનને સક્રિય કરવા આપ્યા સંકેત
મહત્વનું છે કે પાટીદાર આંદોલન બાદ અનેક નેતાઓમાં ફાટા પડી ગયા છે, આંદોલનના નેતાઓએ રાજકીય પાર્ટીઓમાં જોડાણ કરી લીધું છે. ત્યારે લાલાજી પટેલે મહત્વું નિવેદન આપતા કહ્યું છે કે, આંદોલન વેગ પકડે ત્યારે રાજકીય પાર્ટીઓ ચાણક્યની નીતિ અપનાવીને પાટીદારોને પોતાની તરફ વાળી લે છે પરંતુ હવે ભૂતકાળમાં થયેલી ભૂલ ફરી ન થાય એ વાતનું ધ્યાન રાખવામાં આવશે.
એકજૂટ થઈ આગળની લડત લડવામાં આવશેઃ લાલજી પટેલ
પાટીદાર આંદોલનને ફરી વેગવંતું કરવા SPGએ સંકેત આપ્યા છે. SPG પ્રમુખ લાલજી પટેલે કહ્યું કે પુંજ કમિશનનો રિપોર્ટ જનતા સમક્ષ મુકવો જોઇએ સાથે જ પોલીસ દમનમાં 14 પાટીદાર યુવકોના મૃત્યુ થયા હતા જેને લઈને 26 ઓગસ્ટે મૃતક યુવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લાલાજી પટેલે અપીલ કરી છે. લાલજી પટેલે કહ્યું કે પાટીદાર સમાજના પડતર પ્રશ્નો અંગે સરકારને રજુઆત કરીશુ અને એકજૂટ થઇ આગળની લડત લડવામાં આવશે
કોઈને ચેહરો બનાવ્યા વગર આગળ વધીશુઃ લાલજી પટેલ
SPG પ્રમુખ લાલજી પટેલે વધુમાં જણાવ્યં કે કોઈને ચેહરો બનાવ્યા વગર આગળ વધીશુ અને ઘરે ઘરે જઈ સમાજને રાજકીય પાર્ટીઓની ભૂમિકા અંગે જાગૃત કરીશું અને જે રાજકીય પાર્ટી પાટીદારોનો સહયોગ નહીં કરે એનો બહિષ્કાર કરીશું લાલજી પટેલે પાટીદાર મુખ્યમંત્રી હોય એ અમારો વિચાર પરંતુ નિર્ણય ધારાસભ્યો કરે એવું પણ જણાવ્યું છે.
રાજકીય પાર્ટીઓ ચાણક્યની નીતિ અપનાવે છે
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને પાટીદાર એટલે ભાજપ એવું કહેતા ખોડલધામના નરેશ પટેલે પણ સ્પષ્ટ કહી દીધુ હતું કે આ તેમનો અંગત નિવેદન હોઈ શકે વધુમાં માંડવિયાએ રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું વાત પણ કરી હતી પરતું આજે SPG અધ્યક્ષ લાલાજી પટેલે સ્પષ્ટ સંકેતો આપતા હવે આવનાર સમયમાં પાટીદાર આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહ્યું ?