પાટીદાર અનામત આંદોલન મુદ્દે લાલજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપ્યો છે.અમારા કહેવાથી રાજ્યના લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતા.જેથી પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચાવા જોઈએ. સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, શહીદ યુવાનોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાનું પણ માત્ર આશ્વાસન જ કરાયું હતું.સરકાર આશ્વાસન આપે છે, પરંતુ કામગીરી કરતી નથી. આ માટે અમે ઓગસ્ટમાં મહિનામાં સરકાર અને જવાબદાર વ્યક્તિને મળીશું.
આંદોલનકારીઓએ આંદોલનને આપ્યો રાજકીય રંગ
લાલજી પટેલે પાટીદાર અનામત અંદોલન મુદ્દે વધુમાં કહ્યું હતું કે, SPGને સાથે લઈને આંદોલનની શરૂઆત થઈ હતી.અમારા કહેવાથી લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતાં.સરકારે પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચાવા જોઈએ.તેમણે ઉમેર્યું હતું કે, આંદોલનકારીઓએ આંદોલનને આપ્યો રાજકીય રંગ
લાલજી પટેલે હાર્દિક પર સાધ્યું નિશાન
સાથે જ તેમણે હાર્દિક પટેલને પણ આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો રાજકારણમાં જોડાયા પણ સ્થિતિ ઠેરની ઠેર રહી છે. સમાજે આ લોકોને જેટલો પ્રેમ આપ્યો, તેટલો પ્રેમ કોઈ રાજકીય પાર્ટી આપશે નહીં. એક પાર્ટીમાં જઈને અનુભવ કરી લીધો છ. હવે બીજી કોઈ પાર્ટીમાં જોડાય ત્યારે તેમનું શું થશે તે આગામી સમયમાં ખબર પડશે. મને પણ અનેક પાર્ટીઓ તરફથી જોડાવાની ઓફર આવી હતી, પરંતુ હું માત્ર સમાજની સેવા કરવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવવા માગતો નથી.