ભાદર-2 ડેમમાં પ્રદૂષિત પાણી મુદ્દે લલિત વસોયાએ નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યુ હતું કે ડેમમાં કલર અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ વિના જ છોડવામાં આવે છે. પ્રદૂષિત પાણી મુદ્દે અમે લડાઇ ચલાવી રહ્યાં છીએ. રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ માત્ર કાગળ પર જ ફાળવી છે. પ્રદૂષિત પાણી સિંચાઇમાં વાપરતા પાક નિષ્ફળ ગયા છે. લોકોને ચામડીના, કેન્સરના અને કિડનીના રોગ થઇ રહ્યાં છે. જો આગામી દિવસોમાં સરકાર કાર્યવાહી નહિ કરે તો મુખ્યમંત્રીના ઘર આગાળ ઘરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે.