રાજકોટમાં જેતપુરના PAASના કાર્યકર્તાઓ સામે રાયોટીંગના કેસના મામલે પૂર્વ PAAS કન્વીનર અને કોંગ્રેસના ધારાસભ્યને લલિત વસોયાને કોર્ટે રાહત આપી છે. કોર્ટે લલિત વસોયા અને અન્ય 34 વ્યક્તિઓને જામીન આપ્યા છે.
રાજકોટમાં જેતપુરના PAASના કાર્યકર્તાઓ સામે રાયોટીંગના કેસના મામલે પૂર્વ PAAS કન્વીનર અને કોંગ્રેસના ધારાસભ્યને લલિત વસોયાને કોર્ટે રાહત આપી છે. કોર્ટે લલિત વસોયા અને અન્ય 34 વ્યક્તિઓને જામીન આપ્યા છે. 21મી જૂન સુધી કેસ સાથે સંકળાયેલા આ તમામને સોલવન્સી જામીન મળ્યા છે.
34 જેટલા પાસ કાર્યકરો સામે નોંધાયો હતો ગુનો
જેતપુરના સરદાર ચોકમાં પાસ કાર્યકરોના ઘર્ષણ મામલે 34 જેટલા પાસના કાર્યકરો સામે ફરિયાદ થઈ હતી. રાયોટિંગ અને હથિયાર ધારા હેઠળ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જે મામલે જેતપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આ મામલે લોકસભાના ઉમદેવાર લલિત વસોયા, મનોજ પનારા, દિલીપ સાબવા સહિતના 34 લોકો સામે ફરિયાદ થઈ હતી. ત્યારે હવે આ મામલે લલિત વસોયા સહિત અને અન્ય 34 વ્યક્તિઓને જામીન આપ્યા હતા.