માનહાનિનાં કેસમાં અયોગ્ય ઠેરવાયેલા રાહુલ ગાંધી પર વધુ એક આફત આવી છે. લલિત મોદી હવે પોતાના પર કરેલા આરોપોને લઈને UK કોર્ટમાં કેસ દાખલ કરશે. ટ્વિટ કરી આપી માહિતી.
રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં
લલિત મોદી કોર્ટમાં રાહુલ વિરોધી કરશે ફરિયાદ
UKની કોર્ટમાં જશે લલિત મોદી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાહુલ ગાંધી સતત ભાગેડુ લલિત મોદી પર શાબ્દિક હુમલાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરાઈ હતી, જેમાં તેમણે નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સતત લલિત મોદીને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.
addresses and photos etc. lets not fool the people of india who are the real crooks. #Gandhifamily who have made it as if they the entitled ones to rule our country. yes i will return as soon as u pass stringent liable laws. 🙏 jai-hind
UKની કોર્ટમાં જશે લલિત મોદી
હવે લલિત મોદીએ પણ રાહુલ ગાંધીની વારંવારની ટિપ્પણીઓ પર વળતો પ્રહાર કર્યો છે. લલિત મોદીએ જણાવ્યું છે કે તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ યુકેની કોર્ટમાં જશે. મની લોન્ડરિંગ કેસમાં લલિત મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે તેને હજુ દોષિત જાહેર કરાયા નથી અને તે દેશના સામાન્ય નાગરિક છે.
ગાંધી પરિવારનાં લોકોનાં નામનો કર્યો ખુલાસો
તેણે વધુમાં ટ્વીટ કહ્યું છે કે કોંગ્રેસી નેતાઓ આર.કે. ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોરા અને સતીશ ચરણની વિદેશમાં સંપત્તિ હોવાના આરોપ લગાવ્યા છે. આ બધા ગાંધી પરિવારના લોકો છે. નારાયણદત્ત તિવારીને પણ નહીં ભૂલવા જોઈએ, આ બધા પાસે વિદેશમાં સંપત્તિ કેવી રીતે છે? કમલનાથને પૂછો, હું પણ પુરાવા આપી શકું છું. પુરાવા સાથે તેઓ એડ્રેસ અને ફોટા પણ મોકલી શકે છે.ભારતના લોકોને બેવકૂફ ન બનાવો. ગાંધી પરિવાર એવું માને છે કે દેશમાં રાજ કરવા માટે તેઓ એકમાત્ર હકદાર છે અને જય હિન્દ સાથે વધુમાં લખ્યું છે કે તમે કડક કાયદાઓ પસાર કરશો તો હું ભારત પાછો આવી જઈશ.'