આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી કોરોના સંક્રમિત બન્યા છે. જે છેલ્લા ત્રણ અઠવાડિયામાં બે વખત કરોનાની ઝપટે ચડ્યા હોવાથી હાલ ઓક્સિજન સપોર્ટ હેઠળ છે.
આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી કોરોના સંક્રમિત
ત્રણ અઠવાડિયામાં બે વખત કરોનાની ઝપટે ચડ્યા
સોશિયલ મીડિયા થકી આપી માહિતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી કોરોના સંક્રમિત બન્યા હોવાથી હાલ તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. તેઓ છેલ્લા ત્રણ અઠવાડિયામાં બે વખત કરોનાની ઝપટે ચડ્યા હોવાનું જાણવા મળી રહયું છે. કોરોના બાદ લલિત મોદી પણ ઈન્ફલ્યુએન્ઝા અને ન્યુમોનિયા જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. મેક્સિકોમાં રોકાણ દરમિયાન લલિત મોદીની તબિયત બગડી હતી.જેને પગલે તેઓને એરલિફ્ટ કરીને લંડન લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ઓક્સિજન સપોર્ટ પર હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે લલિત મોદીએ ખુદ ઇન્સ્ટા પર પોસ્ટ કરીને સમગ્ર જાણકારી આપી છે.
લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે પોસ્ટ વાયરલ કરી હતી. લલિત મોદીએ એક પોસ્ટમાં લખ્યું, ડબલ કોવિડ સાથે ત્રણ મહિનાના આઇશોલેશન ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા સાથે કેટલીય વખત બહાર આવવાનો પ્રયાસ. ત્યારબાદ ડૉક્ટરો અને મારા પુત્રની મદદથી લંડન પાછો ફર્યો છું. આ લોકોએ મારા માટે બહુ કર્યું છે. વધુમાં મેક્સિકોથી લંડનની ફ્લાઈટ પણ સારી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
અન્ય એક કમેન્ટમાં લલિત મોદીએ કહ્યું ક ડોક્ટરોએ 3 અઠવાડિયા સુધી મારી સારવાર કરી અને મારા પર નજર રાખી હતી. વધુમાં તેમણે લખ્યું કે મેક્સિકો સિટીના ડોક્ટરની છે દેખરેખ હેઠળ હું હતો અને બીજો ડૉક્ટર લંડનનો છે જે મને લંડન પાછો લાવવા ખાસ મેક્સિકો સિટી ગયો હતો. તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમણે મને આ હાલતમાંથી બહાર કાઢયો છે.વધુમાં હાલમાં હું 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છુ તેમ પણ જણાવ્યું હતું.