લોકસભા ચૂંટણીની રાજનીતિક લડાઈ વચ્ચે લંડન ભાગી ગયેલા IPLના પૂર્વ પ્રમુખ લલિત મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે મોર્ચો માંડ્યો છે. લલિત મોદી રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે અને રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરશે તેવી ચીમકી આપી છે. રાહુલે સારે મોદી ચોર હૈનું નિવેદન આપતા આ મામલો વિવાદ થયો છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં ભાષણમાં કરતા કહ્યું હતુ કે, બધા જ મોદી ચોર છે. ત્યારે હવે આ મામલે લલિત મોદી પણ મેદાને આવ્યા છે. લલિત મોદીએ રાહુલ ગાંધી સામે લંડન કોર્ડમાં કેસ કરવાની વાત કરી છે.
લલિતે ટ્વિટ કરી કહ્યું કે,બધા જ મોદી ચોર છે, હવે હું તેમને આ નિવેદનના આધાર પર યૂકેની કોર્ટમાં લઈ જઈશ. આ સાથે લલિત મોદીએ રાહુલ ગાંધી અને તેમના પરિવાર સામે દાયકાઓથી ભારતને લૂટવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી પર લંડન કોર્ટમાં પણ ફરિયાદ થઈ શકે છે. લલીત મોદી પહેલા બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ રાહુલ સામે માનહાનિનો દાવો મુક્યો છે.
રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં મોદી રાજમાં દેશમાં કૌભાંડ કરીને ભાગી ગયેલા બિઝનેસમેનનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં બધા જ ચોર અને કૌભાંડીઓના નામ મોદી જ કેમ હોય છે? તેવો સવાલ પ્રજાને પૂછતા આ વિવાદ વકર્યો છે. આ નિવેદન બાદ એક પછી એક મોદી રાહુલ સામે મોરચો માડી રહ્યા છે.