રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થતું હોવાનું નિવેદન આપીને ગાંધીના ગુજરાતને બદનામ કર્યું છે. આ મામલે મુખ્યમંત્રીએ અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માગવાની વાત કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગેહલોતના સમર્થનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ ગેહલોતનું સમર્થન કર્યું છે. અને કહ્યું કે સાચી વાત કરે તો દેશદ્રોહી ન ગણવા જોઈએ.. અશોક ગેહલોતને માફી માગવાની કોઈ જ જરૂર નથી.