બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Lalit Kagathara statement on Paresh Dhanani contesting for Rajkot seat

લોકસભા ચૂંટણી 2024 / 'ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ કોંગ્રેસને થશે', પરેશ ધાનાણીના ચૂંટણી લડવા મુદ્દે શું બોલ્યા લલિત કગથરા

Dinesh

Last Updated: 06:14 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: લલિત કગથરાએ કહ્યું કે, જો રૂપાલા ઉમેદવાર હશે, તો કોંગ્રેસના પરશે ધાનાણી ચૂંટણી લડશે. હાલ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના કારણે ખૂબ રોષ છે. ક્ષત્રિય સમાજની નારાજગીનો કોંગ્રેસ પાર્ટીને લાભ મળશે

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં સૌથી વધુ વર્તમાનમાં ચર્ચાસ્પદ બેઠક હોય તો તે છે રાજકોટ બેઠક. કારણ કે, આ બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. તેઓ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિવાદમાં ઘેરાયેલા છે. તો બીજી તરફ કોંગ્રેસ મનોમંથનમાં હતું પરંતુ આજે કેટલાક ગુજરાત કોંગ્રસના આગેવાનો પરેશ ધાનાણીને ચૂંટણી લડવાને લઈ મનાવવા માટે ગયા હતાં. ત્યારે પરેશ ધાનાણીએ પણ હા ભણી છે. જણાવીએ કે, રાજકોટ બેઠક પરેશ ધાનાણીના ચૂંટણી લડવા મુદ્દે લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે. 

લલિત કગથરાનું નિવેદન
લલિત કગથરાએ કહ્યું કે, જો રૂપાલા ઉમેદવાર હશે, તો કોંગ્રેસના પરશે ધાનાણી ચૂંટણી લડશે. હું પણ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને હાલ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના કારણે ખૂબ રોષ છે. ક્ષત્રિય સમાજની નારાજગીનો કોંગ્રેસ પાર્ટીને લાભ મળશે. વધુમાં કહ્યું કે, અમારી સાથે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજનો પણ ટેકો છે, પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવવા મુદ્દે મનાવવા ગયા હતા. 

 પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી લડશે ચૂંટણી 
અત્રે જણાવીએ કે,  રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીને કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.

 પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી લડશે ચૂંટણી 
અત્રે જણાવીએ કે,  રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીને કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.

વાંચવા જેવું:  'કોંગ્રેસની લડત ડિપોઝિટ બચાવવાની છે, નહીં કે જીતવાની', રાજકોટથી ચૂંટણી લડવા મુદ્દે ભરત બોઘરાનું મોટું નિવેદન

રૂપાલા વિવાદ શું છે  ?  
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Lok Sabha seat Rajkot News lok sabha elections 2024 કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લલિત કગથરાનું નિવેદન લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Elections 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ