કોરોના વાયરસના કારણે આ વર્ષ તહેવારોની ઉજવણી ધામધૂમ કરી શકાતી નથી. મુંબઈમાં લાલ બાગ ચા રાજાનું ખૂબ મહત્વ પણ છે આ વર્ષે ચૂપચાપ પોલીસના પહેરામાં ગણેશજીને બિરાજમાન કરાવાયા છે.
કોરોનાકાળમાં ફિક્કો પડ્યો ઉજવણીનો રંગ
લાલ બાગ ચા રાજામાં માત્ર ત્રણ ફૂટના ગણેશજી
ગણેશજીનાં દર્શન ઓનલાઇન કરી દેવાયાં
મુંબઇના જાણીતા ગણપતિ પંડાલમાં આ વર્ષે ગણપતિ બાપા મોરિયાનો જયકાર ગુંજી રહ્યો નથી. ગુલાલ ઉડાડતી ભીડ નાચતાં નાચતાં બાપાને લઇ આવી રહી નથી. ચૂપચાપ પોલીસના પહેરામાં ગણેશજીને બિરાજમાન કરાવાયા છે. પંડાલમાં ભીડ નથી કે નથી ભક્તો. માત્ર ત્રણ ફૂટના ગણેશજી એકલા બિરાજમાન છે. ગણેશજીનાં દર્શન ઓનલાઇન કરી દેવાયાં છે.
આખું અંધેરી બાપાનાં ઓનલાઇન દર્શન કરે છે. એકલદોકલ લોકો જ ગણેશજીના ભોગ માટે પ્રસાદ લઇને આવે છે. દરેક વ્યક્તિને એક-એક કરીને હાથ સેિનટાઇઝ કરીને જ ભગવાન પાસે આવવા દેવાય છે. ગણેશજીનું સ્ટેજ હજાર મીટરના અંતરે છે. અહીંની વ્યવસ્થા સંભાળી રહેલા સુબોધ ચિટનીસનું કહેવું છે કે આમ તો ઓનલાઇન દર્શન દર વર્ષે કરાવવામાં આવે છે, પરંતુ એવું પહેલી વાર થઇ રહ્યું છે કે અમે લોકોને કહી રહ્યા છીએ કે અહીં ના આવો.
લાલબાગના રાજાના ત્યાં એક મોટો સ્ક્રીન છે, તેમાં ગયા વર્ષના ગણેશ મહોત્સવની ઝલક જોવા મળે છે. ભક્તોની શ્રદ્ધા એવી છે કે લોકો તેનાં પણ દર્શન માટે આવી રહ્યા છે અને ગયા વર્ષના વીડિયો સામે માથું ટેકવી રહ્યા છે. અહીં કોઇ મૂર્તિ નથી છતાં લોકો દર્શન માટે આવે છે.
૧૯૩૪ના વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે મન્નતના રાજા ગણાતા લાલબાગનો દરબાર ખાલી છે, છતાં આ વિસ્તારમાં રોનક છે. લોકો આવે છે અને જાય છે. પૂજાપાઠની દુકાનો ખુલ્લી છે. લાલબાગ ચા રાજાનું આ ૮૭મું વર્ષ છે. આટલાં વર્ષમાં પહેલી વાર એવું થયું કે અહીં ગણેશોત્સવ મનાવવામાં આવ્યો નથી.