દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇ લાલબાગના રાજાના સ્વાગતની તૈયારીઓ મહિનાઓની ચાલી રહી છે અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના બે દિવસ પહેલા 31 ઓગસ્ટે લાલબાગના રાજાની પહેલી ઝલક ભક્તોને મળી ચુકી છે.
ભગવાન ગણેશના અદ્ભુત સ્વરૂપ લાલબાગના રાજાના શુભ આગમનની પહેલી ઝલક આવી ચુકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇ લાલબાગના રાજાના સ્વાગતની તૈયારીઓ મહિનાઓની ચાલી રહી છે અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના બે દિવસ પહેલા 31 ઓગસ્ટે લાલબાગના રાજાની પહેલી ઝલક ભક્તોને મળી ચુકી છે.
આ વખતે મુંબઇના બાપ્પા લાલબાગના રાજા પંડાલ 'ચંદ્રયાન 2'ની થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે. જોવામાં લાગી રહ્યું છે કે જાણે ભગવાન ગણેશ ચાંદ પર પધાર્યા હોય. પંડાલમાં અંતરિક્ષયાત્રીઓથી લઇને અંતરિક્ષયાન પણ નજરે આવી રહ્યું છે.
લાલબાગના રાજાના દર્શન માટે અંબાણી પરિવારથી લઇને મોટા મોટા બોલીવુડ સ્ટાર્સ લાઇનમાં ઊભા રહે છે. અહીંયા ઘણા મોટા નેતા દર્શન માટે પહોંચે છે. એમના દર્શન ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે.
લાલબાગના રાજાની ખ્યાતિ આ વાતથી આંકી શકાય છે કે અહીંયા જે ચઢાવો આવે છે એ 20 થી 25 કરોડથી વધારેનો છે જે ભક્તજન અર્પિત કરે છે. આ મંડળની સ્થાપના વર્ષ 1934માં પોતાના હાલના સ્થાન પર થઇ હતી.
દરેક વખતની જેમ આ વખતે લાલબાગના રાજાની પ્રતિમા ખૂબ જ મનમોહક છે. લાલ રંગના વસ્ત્રો પહેરેલા છે અને પીતામ્બર રંગનો દુપટ્ટો લાગેલો છે.