ભાજપના વરિષ્ઠ નેતા અને માર્ગદર્શન મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું કે, 6 એપ્રિલે ભાજપ પોતાનો સ્થાપના દિવસ મનાવશે. ભાજપમાં અમે તમામ માટે આ મહત્વપૂર્ણ અવસર છે કે આપણે પાછળ જોઇએ, આગળ જોઇએ અને અંદર પણ જોઇએ. ભાજપના સંસ્થાપકોમાંથી એકના રૂપમાં મેં ભારતના લાખો કાર્યકર્તાઓની સાથે. બન્નેએ મને બહુજ સ્નેહ અને સન્માન આપ્યું છે.
ગાંધીનગરની જનતાનો એલ.કે.અડવાણીએ માન્યો આભાર
ગાંધીનગર બેઠકથી ટિકિટ કપાયા બાદ પોતાના બ્લોગમાં લાલકૃષ્ણ અડવાણીએ લખ્યું કે, હું ગાંધીનગરના લોકો માટે આભાર વ્યક્ત કરૂ છું, જેમણે 1991 બાદ છ વખત મને લોકસભા માટે પસંદ કર્યો. તેમના પ્રેમ અને સમર્થને મને હંમેશા અભિભૂત કર્યો છે. માતૃભૂમિની સેવા કરવી મારો જૂસ્સો અને મારૂ મિશન છે. જ્યારથી મેં 14 વર્ષની ઉંમરમાં આરએસએસ જોઇન કર્યું છે. મારૂ રાજકીય જીવન લગભગ સાત દાયકાથી મારી પાર્ટીની સાથે અવિભાજ્ય રૂપથી જોડાયેલ રહ્યું છે. પહેલા ભારતીય જનસંઘની સાથે અને બાદમાં ભારતીય જનતા પાર્ટી. હું બન્ને સંસ્થાપક સભ્ય રહ્યો છું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપાઇ અને કેટલા અન્ય મહાન, પ્રેરણાદાયક અને દિગ્ગજોની સાથે મળીને કામ કરવું મારૂ દુર્લભ સૌભાગ્ય રહ્યું છે.
લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, મારા જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત છે. નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ. તમામ પરિસ્થિતિઓમાં મેં આ સિદ્ધાંતનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ પણ કરતો રહીશ. ભારતીય લોકતંત્રનો સાર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન છે. પાર્ટી વ્યક્તિગત અને રાજકીય સ્તરે પ્રત્યેક નાગરિકની પસંદ ગીની સ્વતંત્રતા માટે પ્રતિબદ્ધ છે. ભાજપ હંમેશા મીડિયા સહિત આપણા તમામ લોકતાંત્રિક સ્થળોની સ્વતંત્રતા, અખંડતા, નિષ્પક્ષતા અને મજબૂતીની માંગ કરવામાં સૌથી આગળ રહી છે. ચૂંટણી સુધાર, રાજકીય અને ચૂંટણી ફંડિંગમાં પારદર્શકતા અમારી પાર્ટી માટે પ્રાથમિકતા રહી છે.
બ્લોગમાં લાલકૃષ્ણ અડવાણીએ લખ્યું કે, આ મારી ઇમાનદાર ઇચ્છા છે કે અમે તમામ સામૂહિક રીતે ભારતની લોકતંત્રિક શિક્ષાને મજબૂત કરવાનો પ્રયાસ કરવા માંગીએ. એ સત્ય છે, ચૂંટણી લોકશાહીમાં તમામ હિતેચ્છુઓ, રાજકીય દળો, જન મીડિયા, ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરનારા અધિકારીઓ અને સૌથી ઉપર, મતદાતાઓ દ્વારા ઇમાનદાર આત્મનિરીક્ષણ માટે પણ એક અવસર છે.