બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / lal krishna advani statement on ram mandir inauguration

આસ્થા / ઘણા સમય બાદ રામ મંદિર પર લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મોટું નિવેદન, નિયતિને યાદ કરતાં જુઓ શું કહ્યું?

Dinesh

Last Updated: 08:38 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lal krishna advani statement: લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે, રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક રથ પોતે જ હતો

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન
  • 'આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપશે'
  • અડવાણીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો


Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે લાલકૃષ્ણ અડવાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ છે, તેમણે કહ્યું કે, નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ દરેક ભારતવર્ષના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપશે.

હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો
લાલ કૃષ્ણ અડવાણીએ એક માસિક સામયિક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક રથ પોતે હતો અને પૂજાને લાયક હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ, જાણો કયા સ્વરૂપમાં દર્શન  આપશે રામલલા | shyam colored idol of lord- hri ram will be installed in  grand ram temple ayodhya

આલોક કુમારે દાવો પણ કર્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે પણ ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલ કૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. 

રામ મંદિર આંદોલનના અગ્રણી હતા
અડવાણીએ 1990ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે.

વાંચવા જેવું: ક્યાં અને કેવું છે રામાયણનું પંચવટી? જ્યાંથી PM મોદી શરૂ કરવા જઇ રહ્યાં છે 11 દિવસનું અનુષ્ઠાન

કોંગ્રેસે આમંત્રણને નકારી કાઢ્યું
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સમારોહના આમંત્રણને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે ભાજપ આ બધું ચૂંટણી લાભ માટે કરી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya News Ayodhya ram mandir lal krishna advani statement ram mandir inauguration રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા Ayodhya ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ