કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હેઠળ મળનારા તમામ વિશેષ અધિકારો પરત લીધી છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કોંગ્રેસને છોડીને વિપક્ષના તમામ પક્ષોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને ભાજપના લોહ પુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ મોદી સરકારના આ નિર્ણયને બિરદાવ્યો છે.
અડવાણીએ નિર્ણયને આવકાર્યો
ઉલ્લેખનીય છે કે, લાલકૃષ્ણ અડવાણીએ સોમવારે એક નિવેદન આપતા કહ્યું કે, અનુચ્છેદન 370 ને હટાવનારા કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કરું છું. દેશની એકતાને મજબૂત કરનારો અને આ ઐતિહાસિક નિર્ણય છે.
અડવાણીએ લખ્યું કે, અનુચ્છેદન 370 ને હટાવવી ભાજપના સંકલ્પમાં છે. જનસંઘના જમાનાથી આ બાબત અમારા સંકલ્પમાં છે. તેમણે લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આ ઐતિહાસિક નિર્ણયને અભિનંદન આપું છું. તેમણે લખ્યું તે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરે છે.
Bold step towards strengthening national integration: Advani on Article 370 scrapping
આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરથી કલમ 370, 35A ને હટાવવી ભારતીય જનતા પાર્ટીનો ઘણો જુનો વાયદો રહ્યો છે જે સોમવારના રોજ પૂર્ણ થયો છે. લાલકૃષ્ણ અડવાણી પહેલા ભાજપના કેટલાય મોટા નેતાએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાને સાકાર થતું ગણાવેલ.
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ શું?
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.
સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.
જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.
કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.
રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.
જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે.