જ્યોતિષ ગ્રંથ લાલ કિતાબમાં જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો બુધવારે કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ કષ્ટોથી મુક્ત થઈ જાય છે.
બુધવારે અચૂક કરો આ ઉપાયો
લાલ કિતાબના ઉપાયોથી ચમકશે તમારુ ભાગ્ય
બુધનુ નડતર દૂર કરવાના સચોટ ઉપાયો
હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક ગ્રંથોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય પુસ્તક લાલ કિતાબમાં જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાના ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. લાલ કિતાબમાં દરેક દિવસ અને ગ્રહ અનુસાર કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું અમલીકરણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં, બુધવાર પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે લાલ કિતાબના આ ઉપાયો કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
બુધવારે કરો લાલ કિતાબના ઉપાય
કુંડળીમાં બુધ ગ્રહની નબળી સ્થિતિ અથવા બુધની મહાદશાને કારણે વ્યક્તિની વાણી શક્તિ નબળી પડવા લાગે છે, તે ઘરની પરેશાનીઓ, આર્થિક નુકસાન વગેરે સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. લાલ કિતાબ અનુસાર, સતત 24 બુધવાર સુધી ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી આ સમસ્યાઓથી રાહત મળે છે.
જ્યારે બુધ ગ્રહ નબળો હોય છે ત્યારે દાંત, પેટ સંબંધિત સમસ્યાઓ, દેવામાં વધારો, માન-સન્માનને ઠેસ પહોંચવી આવી અનેક સમસ્યાઓ વ્યક્તિને ઘેરી લે છે. લાલ કિતાબ અનુસાર બુધવારે આખા મગનું દાન કરવાથી શુભ ફળ મળે છે.
બુધવારે તુલસીના છોડની આસપાસ પડેલા પાનને ઉપાડીને ધોઈને ખાવા શુભ માનવામાં આવે છે.
જો તમે જીવનમાં ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો બુધવારે 9 કન્યાઓને ભોજન કરાવો. તેમજ પ્રસાદમાં લીલો રૂમાલ વહેંચવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે.
લાલ કિતાબમાં દર્શાવેલ ઉપાય અનુસાર એક સાથે 100 ગાયોને ખવડાવવાથી ખૂબ જ પુણ્ય મળે છે. આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે.