11 જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં લાલબહાદુર શાસ્ત્રીનું શંકાસ્પદ મોત થયું હતુ હાલ પણ તેમના મૃત્યુનું રહસ્ય વધુને વધુ ઘુંટાતુ રહ્યુ છે. પણ જય જવાન, જય કિસાનનો નારો આપનાર શાસ્ત્રીજીનો ગુજરાત સાથે એક અદભૂત નાતો છે.
આણંદમાં સાવ સામાન્ય માણસ જેમ ખેડૂતો સાથે રહ્યા હતા શાસ્ત્રીજી
300 જણાની વસતીના એ ગામમાં દરેક ઘરે ગયા હતા શાસ્ત્રીજી
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ દેશના વિકાસને આગળ વધારવાના કામ સાથે પાડોશી દેશ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવને સંતુલિત કરવાનું કામ શાસ્ત્રીજીના માથે આવી પડ્યું હતું.શાસ્ત્રીજીને રાજકારણમાં દેશભક્તિની ભાવનાને વેગ આપવાનું કામ કર્યુ હતુ. તેમણે 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો હતો. ખેડૂતો અને સેનાના જવાનોનું મહત્વ તેમણે દેશને સમજાવ્યું હતુ એટલું જ નહીં પરંતુ તેમના શાસનમાં 1965માં ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભારતને વિજય મળ્યો હતો.
દેશમાં 'શ્વેતક્રાંતિ'ના પ્રણેતા મનાતા ડૉ. વર્ગીસ કુરિયને તેમની આત્મકથા 'આઈ ટુ હૅડ અ ડ્રીમ'માં ગુજરાતની 'શ્વેતકાંતિ'ને ભારત ભરની 'શ્વેતક્રાંતિ' બનાવવાની શાસ્ત્રીજીની દૂરદૃષ્ટિ અને અડગ નિર્ધાર વિશે વાત કરી છે.વર્ગીસ કુરિયને પોતાની આત્મકથામાં લાલ બહાદુર શાસ્ત્રીની આણંદ મુલાકાત વિશે લખ્યું છે.
શાસ્ત્રીજી કેમ આવ્યા હતા ગુજરાત
ખેડા દૂધઉત્પાદક સંઘ દ્વારા 1964માં આણંદથી આશરે 8 કિલોમિટર દૂર આવેલા કંજરી ખાતે પશુદાણનું નવું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન માટે શાસ્ત્રીજીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ. આ પ્લાન્ટ દેશનો પહેલો આવો પ્લાન્ટ હતો.
આણંદમાં આવ્યા હતા શાસ્ત્રીજી
સરદાર પટેલના જન્મદિવસને દિવસે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન હતુ. પણ શાસ્ત્રીજી એક દિવસ પહેલા ગુજારત આવી ગયા હતા એટલું જ નહીં પરંતુ તેમણે રાત ખેડા જિલ્લાના સાવ સામાન્ય ખેડૂત સાથે વિતાવી હતી.
આણંદથી થોડે દૂર આવેલા અજરપુરા ગામમાં રમણભાઈ પુંજાભાઈ પટેલને ત્યાં શાસ્ત્રીજી અને મુખ્યમંત્રી બળવંતરાય મહેતા રોકાયા હતા. છેક છેલ્લી ઘડી સુધી ખુદ ખેડૂતને પણ જાણ નહોતી કરવામાં આવી કે, ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તેમને ત્યાં રોકાવાના છે. 300ની વસતીના એ ગામમાં એ દિવસે દેશના વડાપ્રઘાન સાવ સામાન્ય માણસની જેમ રોકાયા હતા. અને ખેડૂતના મનની વાતો જાણી હતી.
300 જણાની વસતીના એ ગામમાં દરેક ઘરે ગયા હતા વડાપ્રધાન
શાસ્ત્રીજી સમયસર રમણભાઈના ઘરે પહોંચી ગયા. "તેમણે રમણભાઈના પરિવાર સાથે મળીને સાદું ભોજન પણ લીધું. જમ્યા પછી તેઓ ગામમાં ચાલવા માટે નીકળી પડ્યા. લગભગ તમામ ગામલોકો તેમને ઓળખી ગયા છતાં તેઓ સામાન્યપણે ગામમાં ફરતા રહ્યા. લોકોનાં ઘરોમાં જઈને તેમની સાથે વાત કરીને તેમના જીવન વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા. લોકો સાથે ઘણી વાતો પણ કરી. ગામની સ્ત્રીઓ સાથે દૂધઉત્પાદન અંગે પણ વાત કરી. આ સિવાય તેઓ ગામના દલિતોનાં ઝૂંપડાંમાં પણ ગયા. તેમની સાથે તેમનાં ઘરોમાં બેસીને વાત કરી. તેઓ સવારના બે વાગ્યા સુધી ગામના મુસ્લિમો સાથે તેમના જીવન અંગે વાતચીત કરતા રહ્યા.
દેશમાં ડેરી ઉદ્યોગમાં અમૂલને મળ્યુ નૈતૃત્વ
અમૂલ ડેરીની સફળતા જોઈને તેમણે વર્ગીસ કુરિયનને આ અંગે જણાવ્યું કે, યુપી, પંજાબ કરતા પણ ડેરી ઉદ્યોગ આણંદમાં કેમ સફળ? આ અંગે ચર્ચા કર્યા બાદ દેશમાં શ્વેતક્રાંતી માટે તેમણે વર્ગીસના હાથમાં લગામ સોંપી હતી.