તેલંગાણાનાં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનાં પુનર્નિર્માણ બાદ 28 માર્ચનાં રોજ લોકાર્પણ થશે. પુનર્નિર્માણને કારણે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેસીઆરનાં આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીએ પુનર્નિર્મિત આ મંદિરને ફરી ખોલવાનું મુહુર્ત નક્કી કર્યું હતું. મંદિરને શ્રદ્ધાળુઓ માટે ફરી ખોલ્યા પહેલા યજ્ઞ પણ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ચંદ્રશેખર પણ સામેલ થશે.
CM KCR's dream project, the renovation of Sri Lakshmi Narasimha Swamy temple in Yadadri has turned a visual treat with every corner of the temple being an architectural marvel of its own standards. #YadadriTemplepic.twitter.com/IDuM4MgRnx
શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનાં પુનર્નિર્માણ પર લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ મંદિરનું પુનર્નિર્માણ મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. સીએમ ચન્દ્રશેખર રાવનાં ડ્રીમ પ્રોજેક્ટનાં લોકાર્પણ પહેલા મંદિરમાં રીત્વિકો તરફથી 'મહા સુદર્શન યજ્ઞ' પણ કરવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવએ જણાવ્યું હતું કે આ યજ્ઞ 100 કરોડની યજ્ઞ વાટિકામાં 1048 યજ્ઞ કુંડ સાથે કરવામાં આવશે.
પુનર્નિર્માણ બાદ હવે શ્રદ્ધાળુઓ માટે મંદિરનાં દ્વાર ખુલશે
આ પહેલા તેલંગાણાનાં મુખ્યમંત્રીએ એ વાતની પણ ઘોષણા કરી હતી કે હજારો ઋત્વિક અને ત્રણ હજાર સહાયક ભગવાનને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન કરશે. આ પહેલા મંદિરનાં લોકાર્પણ માટે બધા રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, ગવર્નર અને હિંદુ ધર્મનાં બધા સંપ્રદાયોનાં સંતોને યજ્ઞમાં આમંત્રિત કરવાની યોજના બનાવવામાં આવી હતી.
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) March 28, 2022
મહામારીને કારણે આવું ન થઇ શક્યું. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં ઓછા વીઆઈપી ભાગ લેશે. એ પણ સંભાવના જતાવવામાં આવી રહી છે કે ચન્દ્રશેખર રાવનાં આધ્યાત્મિક ગુરુ ચિન્ના સ્વામી પણ આ સમારોહમાં સામેલ નહી થાય.
યાદાદ્રીમાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિલોમીટર દૂર છે. મંદિર પરિસર 14.5 એકરમાં ફેલાયેલું છે. વર્ષ 2016માં આ મંદિરનાં પુનર્નિર્માણનું કાર્ય શરુ થયું હતું જેને લગભગ 1600 કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ મંદિર ટાઉનશિપ પરિયોજના 2500 એકરમાં ફેલાયેલ છે.
મંદિરનું પુનર્નિર્માણ 2.5 લાખ ટન ગ્રેનાઈટથી કરવામાં આવ્યું છે જેને વિશેષ રૂપથી પ્રકાશમ, આંધ્ર પ્રદેશથી લાવવામાં આવ્યું છે. જ્યારે મંદિરનાં સ્તંભને એક પત્થરથી ઉકેરવામાં આવ્યા છે. આ મંદિરનાં પુનર્નિર્માણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
પ્રસિદ્ધ ફિલ્મ સેટ ડિઝાઈનર આનંદ સાઈએ આ મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે.
આ મંદિરનાં મુખ્ય પ્રવેશ દ્વાર પેમ્બર્થી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. મંદિરનાં ગર્ભગૃહનાં મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ સોનું જડવામાં આવ્યું છે. મંદિરમાં તંજોર શૈલીની પેન્ટિંગ પણ લગાવવામાં આવી છે.
મંદિર માટે દાન કરવામાં આવ્યું સોનું
આ મંદિરનાં ગોપુરમ પર 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે જેને કેસીઆર, તેમના કેબીનેટ સહયોગીઓ અને ઘણા ઉદ્યોગપતિઓ તરફથી દાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કેસીઆરે પોતાના પરિવાર તરફથી મંદિરને 1116 ગ્રામ સોનું દાન કર્યું છે.
જ્યારે હૈદરાબાદ સ્થિત એમએનસી મેગા એન્જીનીયરીંગે 6 કિલો સોનું આપવાની ઘોષણા કરી છે. હેટેરો ફાર્માનાં માલિકો તરફથી પણ 5 કિલો સોનું દાન કરવાની ઘોષણા કરવામાં આવી છે.