લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી અને કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલાવવામાં આવ્યાં છે.
લખીમપુર ખીરી મામલેઆશિષ મિશ્રાને કોઈ રાહત નહીં
કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
9 ઓક્ટોબરે મોડી રાતે આશિષની ધરપકડ કરાઈ હતી
Lakhimpur Kheri incident | MoS Ajay Mishra Teni's son Ashish Mishra has been sent to three-day police remand with conditions: SP Yadav, Prosecution Advocate pic.twitter.com/H8Ecg5MA4M
લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ આશિષ મિશ્રાને લઈને રાજ્ય અને કેન્દ્વ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આશિષના પિતા અને કેન્દ્વીય મંત્રી અજય મિશ્રા ટેનીને હટાવવાની માંગ છે
પોલીસે જપ્ત કરેલા હથિયારોને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાં
પોલીસે એક લાઈસન્સ રાઈફલ અને પિસ્ટલને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધી છે. આ બંને હથિયાર આશિષ મિશ્રાના નામે છે.એક મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરની મોડી રાતે આશિષની ધરપકડ પછી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.આ દરમિયાન પોલીસે આશિષની પૂછપરછ કરી લખીમપુરખીરીની સેશન કોર્ટમાં રિમાન્ડની અરજી કરી હતી.
આશિષના વકિલનો વિરોધ
લખીમપુર ખીરીના સેશન કોર્ટમાં ધરપકડ થયા પછી આશિષ મિશ્રાના વકિલે પોલીસની કસ્ટડિ રિમાન્ડનો વિરોધ કર્યો હતો. માનવામાં આવે છે કે, સોમવારે સુનાવણી દરમિયાન આશિષ મિશ્રાના વકિલ અવધેશ સિંહ પોલીસ કસ્ટડી રિમાન્ડનો વિરોધ કરશે. તેમનું કહેવું છે કે, આ કેસમાં કોઈ પણ પ્રકારની ધરપકડ કે અન્ય કોઈ પુરાવા ભેગા કરવાની જરૂર નથી. તેથી પોલીસ કસ્ટડી રિમાન્ડ ના આપવા જોઈએ.
હત્યા, બેદરકારીથી ગાડી ચલાવવી સહિતના ગુનો નોધાયા
9 ઓક્ટોબરે અંદાજે 12 કલાકની પૂછપરછ પછી આશિષની ધરપકડ કરવામાં આવી છે. આશિષ પર મર્ડર, એક્સિડન્ટમાં મોત, ગુનાહિત કાવતરું અને બેદરકારીથી વાહન ચલાવવાની કલમમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધવામાં આવ્યું છે. આશિષનો ક્રાઈમ બ્રાન્ચમાં જ મેડિકલ ટેસ્ટ થયો હતો.