કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જાણો કોણ છે આશિષ મિશ્રા...
આશિષ મિશ્રા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના નાના દીકરા
પેટ્રોલ પંપ અને રાઈસ મિલ જેવા બિઝનેસ સંભાળે છે
પિતાએ 2017 વિધાનસભા ચૂંટણીમાં આશિષ માટે ધારાસભ્યની ટિકિટ માંગી પણ...
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ રાજનીતિ ગરમાઈ છે. યૂપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતા સ્થળ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જોકે પ્રશાસને તેમની અટકાયત કરી નથી. ત્યારે સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતા તેની તપાસના આદેશ આપ્યા છે. જાણો કોણ છે આશિષ મિશ્રા...
પેટ્રોલ પંપ અને રાઈસ મિલ જેવા બિઝનેસ સંભાળે છે
હકિકતમાં આશિષ મિશ્રા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના નાના દીકરા છે. જો કે તેમના વિસ્તારના લોકો મોનૂ કહીને બોલાવે છે. ત્યારે પૈતૃક સંપત્તિમાં પેટ્રોલ પંપ અને રાઈસ મિલ જેવા બિઝનેસ સંભાળે છે. પિતાની સાથે રાજકારણમાં પણ એક્ટિવ છે.
રાજકારણમાં એક્ટિવ છે
આશિષ મિશ્રા વર્ષ 2012માં પિતાને લખીમપુર ખીરીને નિઘાસન સીટથી ધારાસભ્ય તરીકે સીટ મળતા જ તેઓ રાજકારણમાં એક્ટિવ થઈ ગયા હતા. અજય મિશ્રા પોતાના રાજકારણની સફરની શરુઆત જિલ્લા પંચાયત સભ્યના રુપમાં કરી હતી. ત્યારથી લઈને કેન્દ્રીય મંત્રી સુધી પિતાનો સંપૂર્ણ ચૂંટણી પ્રચાર પ્રસાર આશિષ સંભાળે છે.
પિતાએ 2017 વિધાનસભા ચૂંટણીમાં આશિષ માટે ધારાસભ્યની ટિકિટ માંગી પણ...
ઉલ્લેખનીય છે કે પિતાની સાથે સાથે દીકરાની લોકપ્રિયતા વધી ગઈ અને તેમણે ચૂંટણી લડવાનું મન બનાવ્યું. આ માટે પિતા અજય મિશ્રાએ 2017 વિધાન સભા ચૂંટણીમાં આશિષ માટે ધારાસભ્યની ટિકિટ માંગી પરંતુ તે શક્ય ન બન્યું. આ બાદ તે પિતાની વિધાનસભા સીટ નિઘાસનમાં સતત સક્રિય રહ્યા. તેમને લાગતુ હતુ કે વર્ષ 2022ની ચૂંટણીમાં તેમને ટિકિટ મળી જશે. પરંતુ તે પહેલા જ વિવાદ થઈ ગયો.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આશિષ મિશ્રા
આશિષ મિશ્રા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સતત પોતાના એરિયાના સક્રિયતા દાખવતા નાના-મોટા કાર્યક્રમોમાં ભાગ લે છે. એટલું જ નહીં તેઓ નિધાસનમાં આંગણવાડી કાર્યકર્તાઓને સરકાર તરફથી આયોજિત કાર્યક્રમમાં સ્માર્ટ ફોન પણ વહેંચ્યા. પિતાના કેન્દ્રીય ટીમમાં સામેલ થયા બાદ હવે તેમને ટિકિટ મળવાની શક્યતા વધી હતી.
I was at Banwaripur since 9 am till the end of the event. Allegations against me are completely baseless & I demand judicial inquiry of this matter and culprits should get punished: Ashish Mishra, son of MoS Home Ajay Mishra Teni on Lakhimpur Kheri incident pic.twitter.com/GCYbae03y3
આ સમગ્ર મામલા પર આશિષ મિશ્રાનું કહેવું છે કે ઘટના વાળા દિવસે તેઓ સવારે 9થી સાંજ સુધી બનબીરપુરમાં હતા. હું 2 દિવસ અહીં છુ જ નહીં. બની શકે છે કે કોઈ મને પસંદ નથી કરતા અને રાજનીતિક ઉપયોગ કરી રહ્યા હોય. એટલા માટે મારી તસવીર ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. મારી વિરુદ્ધ આરોપ સંપૂર્ણ રીતે નિરાધાર છે અને હું મામલાની ન્યાયિક માંગ કરુ છું.