રાહુલ ગાંધીએ આજે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે લખીમપુર જવાની પણ જાહેરાત કરી હતી,પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે તેમને મંજૂરી આપી નથી.
લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ સતત લખીમપુર ઘેરી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે લખીમપુર જવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ પ્રશાસને તેમને મંજૂરી આપી નહોતી.
હવે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા . તેમણે કહ્યું કે કેટલાક સમયથી ભારતના ખેડૂતો પર સરકાર દ્વારા યોજનાબદ્ધ હુમલા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, મંત્રી સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે યુપીમાં ખેડૂતોની હત્યા કરવામાં આવી અને કોઈ તેમની સંભાળ લેવા જઈ રહ્યું નથી.
ભારતમાં લોકશાહી હતી પરંતુ હવે સરમુખત્યારશાહી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા ભારતમાં લોકશાહી હતી પરંતુ હવે અહીં સરમુખત્યારશાહી છે. માત્ર કોંગ્રેસના નેતાઓ જ યુપીમાં જઈ શકતા નથી, તેમને રોકવામાં આવી રહ્યા છે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ યુપી જવાની મંજૂરી નથી.
પ્રિયંકા ગાંધીની ધરપકડ પર જવાબ
આ સાથે જ પ્રિયંકા ગાંધીની ધરપકડના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અહીં મોટો મુદ્દો ખેડૂતોનો છે. અમારી પાર્ટી ખેડૂતોના અધિકારોની વાત કરશે.
હથરસમાં દબાણ કર્યું ત્યારે કાર્યવાહી કરવામાં આવી
રાજકારણ કરવાના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારું કામ સરકાર પર દબાણ બનાવવાનું છે. અમે હાથરસમાં દબાણ બનાવ્યું, પછી કાર્યવાહી કરવામાં આવી. જો અમે હાથરસ ન ગયા હોત, તો ગુનેગારો છટકી ગયા હોત. સરકાર આ મુદ્દે અમને દૂર રાખવા માંગે છે જેથી દબાણ ન સર્જાય.
It is your (media) responsibility to raise this issue, but when we ask questions, raise the issue, then, you (media) say that we are doing politics: Congress leader Rahul Gandhi on Lakhimpur Kheri violence pic.twitter.com/lN7cJbR11n
ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી
રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી છે. ત્રણ નવા કાયદા લાવવામાં આવ્યા જે ખેડૂતોના અધિકારોની વિરુદ્ધ છે. આથી ખેડૂતો ધરણા પર બેઠા છે.
યુપીમાં ગુનેગારો મુક્તપણે રખડે છે
યુપીમાં ગુનેગારો મુક્તપણે રખડી રહ્યા છે. ત્યાં, હત્યા કર્યા પછી અને બળાત્કાર કર્યા પછી, આરોપીઓ ફરે છે, સામે પીડિતો કાં તો જેલમાં છે અથવા તેમની હત્યા કરવામાં આવી રહી છે.
લખીમપુર જવાનો પ્રયત્ન કરશે રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ ગઈ કાલે લખનૌમાં હતા, પરંતુ લખીમપુર ગયા ન હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આજે લખીમપુર જવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે અમે કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન કરીશું નહીં કારણ કે અમે માત્ર ત્રણ માણસો જઈ રહ્યા છીએ.