ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં માર્યા ગયેલા 8 લોકોના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવી ગયા છે.
લખીમપુર ખીરી હિંસા મામલો
ઢસડાવા, મારપીટ અને બ્રેન હેમરેજથી થયા 8 મોત
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો
આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોઇનું મોત આઘાત લાગવાથી તો કોઇનું હેમરેજથી થયું છે. પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવાની વાત નથી કહેવામાં આવી. સોમવારે આ હિંસામાં માર્યા ગયેલા લોકોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ શું હતું?
1. લવપ્રીત સિંહ (ખેડૂત)
- ટક્કરથી મૃત્યુ. શરીર પર ઈજાઓ મળી આવી હતી. આઘાત અને હેમરેજ મૃત્યુનું કારણ.
2. ગુરવિંદર સિંહ (ખેડૂત)
- બે ઇજા અને ઢસડાવાના નિશાન મળ્યા. ધારદાર અને અણીવાળી વસ્તુથી ઇજા આવી. આઘાત અને હેમરેજ.
3. દલજીત સિંહ (ખેડૂત)
- શરીર પર કેટલીક જગ્યાએ ઢસડાવાના નિશાન. એજ બન્યું મોતનું કારણ.
4. છત્રસિંહ (ખેડૂત)
- મોત પહેલા આઘાત, હેમરેજ અને કોમા. ઢસડવાના પણ નિશાન મળ્યા.
5. શુભમ મિશ્રા (ભાજપ નેતા)
- લાકડી-દંડાથી માર મરાયો. શરીર પર 12થી વધુ જગ્યાઓ પર ઇજાના નિશાન મળ્યા.
6. હરિઓમ મિશ્રાન (અજય મિશ્રાના ડ્રાઇવર)
- લાકડી-દંડાથી માર મરાયો. શરીર પર અનેક જગ્યાઓ પર ઇજાના નિશાન. મોત પહેલા આઘાત અને હેમરેજ.