લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો એક વાયરલ વિડીયો સામે આવ્યો હતો. જેમાં ડ્રાઇવરને મારતા ટોળાં દેખાઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ રાજનીતિ ગરમાઈ છે. યૂપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતા સ્થળ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જોકે પ્રશાસને તેમની અટકાયત કરી નથી. ત્યારે સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતા તેની તપાસના આદેશ આપ્યા હતા.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો એક વાયરલ વિડીયો સામે આવ્યો હતો. જેમાં ડ્રાઇવરને મારતા ટોળાં દેખાઈ રહ્યા છે. આ ડ્રાઈવર દયા માટે ભીખ માગતો રહ્યો અને આખરે દમ તોડ્યો હતો.
આ વિડીયોમાં ડ્રાઈવરની આંખો લાલ થઈ ગઈ છે અને તે દયા માટે કરગરતો દેખાય છે. લોકોએ તેને મારી મારીને હત્યા કરી નાખી હતી.
Violence during farmers’ protest in UP’s Lakhimpur Kheri :
1) Car in union minister's convoy lost balance after stone-pelting & ran over protesters.
2 ઓક્ટોબરે DyCM કેશવ પ્રસાદનો લખીમપુર જવાનો કાર્યક્રમ નક્કી હતો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનવીરપુરમાં દંગલ
પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતા
ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો
અજય મિશ્રાના બનવીરપુર ગામથી 4 કિલોમીટર દૂર મહારાજા અગ્રસેન ઇન્ટર
કોલેજમાં DyCMના હેલિકોપ્ટરનું હેલિપેડ બનાવાયું હતું
26 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધમાં અજય મિશ્રાએ વિવાદીત નિવેદન પણ આપ્યું
હતું
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ
ખેડૂતોમાં રોષ હતો
અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇ ખેડૂતો સવારના 6 વાગ્યાથી જ
હેલિપેડ પાસે એકઠા થઇ ગયા હતા
સવારના 8 વાગ્યા સુધી 5 હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને હાથમાં કાળો
ઝંડો લઇ હેલીપેડ પર કબજો કરી લીધો હતો
ખેડૂતોને પોલીસે સમજાવ્યા પરંતુ ખેડૂતો ન માન્યા
ખેડૂતોએ કહ્યું,''મંત્રીએ અમને પડકાર આપ્યો છે કે તેઓ અમને સુધારી દેશે''
ખેડૂતોએ કહ્યું,''અમે પણ જોવા માગીએ છીએ કે મંત્રી અમને કેવી રીતે સુધારશે''
ખેડૂતોએ કાર્યક્રમના વિરોધની પહેલા જ જાહેરાત કરી દીધી હતી
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટ ઘણું સક્રિય હતું
હિંસાના 15 કલાક પહેલા DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ પણ બદલી દેવાયો
હતો
કેશવ પ્રસાદને હેલિકોપ્ટરની જગ્યાએ રોડમાર્ગેથી જવા કહેવાયું હતું
કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી
ગૃહ રાજ્યમંત્રીએ લોકલ ઇન્ટેલિજન્સની વાતને ન માની
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી
કેન્દ્રીય મંત્રીએ ચેતવણીને નજરઅંદાજ કરી અને 40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા
ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો રૂટ પણ બદલી દેવાયો
બપોરે 40થી વધુ કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો
તિકોનિયા બનવીરપુર ગામથી અંદાજે 4 કિલોમીટર દૂર છે જ્યાં ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો
કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો તો ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા તિકોનિયા પાસે પહોંચ્યા અને વિવાદ થયો
અજય મિશ્રાના દીકરા પર આશીષ પર આરોપ છે કે તેણે ખેડૂતો પર કાર ચઢાવી દીધી
ખેડૂતોને આ અંગે જાણ થતા હિંસા વધુ ભડકી હતી અને ખેડૂતો રોષે ભરાયા હતા