લખીમપુર હિંસા મામલે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ધરણાં પર બેઠા હતા. પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હતી.
ઉત્તરપ્રદેશ હવે રાજનૈતિક અખાડો બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે લખીમપૂર મુલાકાતે જવાના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ તેઓને રોકવામાં આવ્યા હતા અને આખરે તેઓ ધરણાં પર બેસી ગયા હતા જ્યાં તેમણે સરકાર પર પ્રહારો કરતાં રાજીનામાઓની માંગ કરી હતી અને આખરે હવે તેમની અટકાયત થઈ હોવાના સમાચાર આવ્યા હતા.
પ્રિયંકા ગાંધી બાદ અખિલેશ યાદવની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
उत्तर प्रदेश: लखीमपुर खीरी जाने के लिए लखनऊ में अपने घर के बाहर धरने पर बैठे समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव को पुलिस ने हिरासत में लिया। pic.twitter.com/r2kkJTTzCW
આજે લખીમપુર હિંસા મામલે પ્રિયંકા ગાંધી બાદ અખિલેશ યાદવ પણ મુલાકાત લેવા માટે નીકળ્યા હતા પરંતુ પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેતા રોકવામાં આવી રહ્યા હોવાથી તેઓને પણ અટકાવવામાં આવ્યા હતા. અગાઉ સીતાપુરમઆ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી હતી.
#WATCH | Lucknow: Police take Samajwadi Party president Akhilesh Yadav into custody outside his residence where he staged a sit-in protest after being stopped from going to Lakhimpur Kheri where 8 people died in violence yesterday pic.twitter.com/VYk12Qt87H
અગાઉ લખીમપુર ખેરીમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શનમાં આઠ લોકોના મોત થયા હતા. બે દેખાવકારોને અડફેટે લીધા બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બે એસયુવી ને આગ ચાંપી દીધી હતી. બંને પક્ષના ચાર-ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું કહેવાય છે. ચાર ખેડૂતોને કારે દોડાવ્યા હતા જ્યારે કારમાં રહેલા ચાર લોકોને દેખાવકારોએ માર માર્યો હતો. તે જ સ્થળે યોગી સરકાર તેણે લખીમપુર ખીર ખાતે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
અખિલેશ યાદવ ધરણાં પર બેઠા
આજે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ધરણાં પર બેઠા હતા. અને તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા. સાથે આખીલેશે કહ્યું હતું કે પોલીસે જ ગાડીને આગ ચાંપી દીધી હતી અને આ આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ હતો.
આખીલેશે કહ્યું હતું કે અંગ્રેજોએ પણ એટલો અત્યાચાર કર્યો નથી જેટલો ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને જે નાયબ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને 2 કરોડ રૂપિયા આપવા જોઇએ, પરિવારને સરકારી નોકરી મળવી જોઇએ.
પોલીસની ગાડીને આગ ચાંપી દીધી
અખિલેશ જ્યાં ધરણાં પર બેઠા હતા તે સ્થળની નજીક જ પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીને આગ ચાંપી દીધી હોવાના સમાચાર આવ્યા હતા.