કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો દીકરો આશિષ કયા છે એ ખબર નથી
કહ્યું શોધીને ધરપકડ કરીશું
લખીમપુર ખીરી હિંસા કેસ અંતર્ગત આઇજી લક્ષ્મી સિંહે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની શોધખોળ ચાલી રહી છે, મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરીમાં હિંસક ઘટના બાદ હવે પગલાં લેવાતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રના દીકરા આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં છે.
લખીમપુર ખેરીમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શનમાં આઠ લોકોના મોત થયા હતા. બે દેખાવકારોને અડફેટે લીધા બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બે એસયુવી ને આગ ચાંપી દીધી હતી. બંને પક્ષના ચાર-ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું કહેવાય છે. ચાર ખેડૂતોને કારે દોડાવ્યા હતા જ્યારે કારમાં રહેલા ચાર લોકોને દેખાવકારોએ માર માર્યો હતો. તે જ સ્થળે યોગી સરકાર તેણે લખીમપુર ખીર ખાતે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
લખીમપુર ખીરી હિંસા કેસ મામલે આઇજી લક્ષ્મી સિંહે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આશિષ મિશ્રાની શોધખોળ ચાલી રહી છે જેનો સીધો મતલબ એ જ થાય છે કે પોલીસને પણ જાણ નથી કે તે હાલ કયા છે. અને તેના વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.
અગાઉ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય મંત્રીના રાજીનામાંની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં ન્યાય એક અધિકાર છે. હું ન્યાય માટે મારી લડાઈ ચાલુ રાખીશ. ગઈકાલે મળેલા તમામ અસરગ્રસ્ત પરિવારોએ માત્ર ન્યાયની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા રાજીનામું આપવું જોઈએ
કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રએ અગાઉ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ઘટનાસ્થળ પર હાજર હોવાની વાતને ફગાવી દીધી હતી. સમગ્ર હોબાળા પર તેમણે દાવો કર્યો છે કે, આટલા કેમેરા હતા, તો વીડિયો હોત મારી કોઈ, ફોટો હોત. ગાડી પલટી, આગ લગાવવામાં આવી, મારપીટ થઈ. તેમણે કહ્યું જીપમાં હાજર મારા 4 લોકોને મારી દેવાયા, તો મને એક પણ ખરોચ કેમ નથી આવી. આશિષ મિશ્રનું કહેવું છે કે, તેઓ ઘટનાસ્થળ પર હાજર જ નહોતા.
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં આશિષ મિશ્રએ કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કાર્યક્રમમાં રિસીવ કરવા માટે 3 ગાડીઓથી કાર્યકર્તા ગયા હતા. ખેડૂતોએ અમારા કાફલા પર હુમલો કર્યો હતો. તમામ લોકો રસ્તા પર ત્યારે પ્રદર્શન વચ્ચે કેટલાક લોકોએ ગાડી પર પથ્થરમારો કર્યો, જેનાથી તેમનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. ત્યારબાદ ગાડીઓમાં આગ લગાવી દેવાઈ હતી.
I was at Banwaripur since 9 am till the end of the event. Allegations against me are completely baseless & I demand judicial inquiry of this matter and culprits should get punished: Ashish Mishra, son of MoS Home Ajay Mishra Teni on Lakhimpur Kheri incident pic.twitter.com/GCYbae03y3
હું ઘટનાસ્થળથી 4 કિલોમીટર દૂર કાર્યક્રમ સ્થળ પર હાજર હતોઃ આશિષ મિશ્ર
સંયુક્ત કિસાન મોર્ચાના ફાયરિંગ અને ગાડી ચડાવવાના આરોપ પર બોલતા તેમણે કહ્યું કે, જ્યારે હું ત્યાં હતો જ નહીં તો કેવી રીતે સંભવ છે. આશિષ મિશ્રનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળથી 4 કિલોમીટર દૂર કાર્યક્રમમાં હાજર હતા, ગાડી તેમનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. આશિષ મિશ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ.
જો કે હવે તેમની ભાળ મળવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ ક્યાં છે તેઓ પોલીસને પણ જાણ ન હોય એવું લાગી રહ્યું છે.