પોલીસે સવારે 11 વાગ્યે આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. શુક્રવારે નોટિસ હોવા છતાં આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા.
સુપ્રીમ કોર્ટ લખીમપુર ખેરી હિંસા મામલે યુપી સરકારના સ્ટેટસ રિપોર્ટથી સંતુષ્ટ ન હતી. સુપ્રીમ કોર્ટે આરોપીઓની ધરપકડ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે હત્યાના કેસમાં પોલીસ આરોપીઓ સાથે અલગ રીતે કેમ વર્તન કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે.
આજે તપાસમાં ઘણા રહસ્યો સામે આવે તેવી સંભાવના છે.
#WATCH Son of MoS Home Ajay Mishra Teni, Ashish Mishra arrives at Crime Branch office, Lakhimpur
સમર્થકોએ મચાવ્યો હોબાળો
આશિષ મિશ્રા ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. તેમણે આશિષના સમર્થનમાં નરેબાજી કરી હતી. જો કે મંત્રી અજય મિશ્રાએ શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. સાથે તેઓના વકીલ અવધેશ સિંહ પણ પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં કહ્યું કે મારો દીકરો નિર્દોષ છે. તેમણે કહ્યું કે દીકરા તરફથી નોટિસનો લેખિત જવાબ મોકલવામાં આવ્યો છે. દીકરાનું સ્વાસ્થ્ય સારુ ન હોવાથી તે શુક્રવારે રજૂ નથી થયો. તેમણે કહ્યું કે આજે તે તપાસ એજન્સીના સામે રજૂ થઈને પોતાના નિર્દોષ હોવાના પુરાવા આપશે . તેમણે કહ્યું કે અમારી પાર્ટી કોઈ પક્ષપાત નહીં કરે નિષ્પક્ષ તપાસ કરશે. તેમણે કહ્યું ગુનેગારોને કડક સજા મળશે. તેમણે કહ્યું કે ખેડૂતોના વેશમાં કેટલાક અસામાજિક તત્વો ટોળામાં સામેલ હતા.
પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર અને તિકુનિયા કાંડના મુખ્ય આરોપી આશીષ મિશ્રા શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચની સામે નિવેદન નોંધાવા માટે હાજર નહોતો થયો. ચાર કલાક બાદ પોલીસે બીજી નોટિસ ફરીથી તેના ઘર પર ચીપકાવી દીધી હતી. જેમાં આશિષ મિશ્રાને ક્રાઈમ બ્રાન્ચે નિવેદન માટે શનિવાર સવારે 11 વાગે બોલાવ્યો હતો.
બીજી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે હત્યા તથા અન્ય કલમો હેઠળના કેસમાં આશિષને ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સવારે 10 વાગે પોલીસ લાઈનમાં હાજર રહેવા કહ્યું હતું. પણ તે હાજર ન રહ્યો જેથી નિર્દેશ કરવામાં આવે છે કે શનિવારે ક્રાઈમ બ્રાન્ચમાં 11 વાગે રુબરુ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હાજર થાય. અને જો તે હાજર નથી થતો તો નિયમ અનુસાર તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું હતું.
લખીમપુર ખીરી હિંસાનો ઘટનાક્રમ
લખીમપુર ખીરીમાં DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ હતો
2 ઓક્ટોબરે DyCM કેશવ પ્રસાદનો લખીમપુર જવાનો કાર્યક્રમ નક્કી હતો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનવીરપુરમાં દંગલ
પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતા
ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો
અજય મિશ્રાના બનવીરપુર ગામથી 4 કિલોમીટર દૂર મહારાજા અગ્રસેન ઇન્ટર
કોલેજમાં DyCMના હેલિકોપ્ટરનું હેલિપેડ બનાવાયું હતું
26 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધમાં અજય મિશ્રાએ વિવાદીત નિવેદન પણ આપ્યું
હતું
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ
ખેડૂતોમાં રોષ હતો
અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇ ખેડૂતો સવારના 6 વાગ્યાથી જ
હેલિપેડ પાસે એકઠા થઇ ગયા હતા
સવારના 8 વાગ્યા સુધી 5 હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને હાથમાં કાળો
ઝંડો લઇ હેલીપેડ પર કબજો કરી લીધો હતો
ખેડૂતોને પોલીસે સમજાવ્યા પરંતુ ખેડૂતો ન માન્યા
ખેડૂતોએ કહ્યું,''મંત્રીએ અમને પડકાર આપ્યો છે કે તેઓ અમને સુધારી દેશે''
ખેડૂતોએ કહ્યું,''અમે પણ જોવા માગીએ છીએ કે મંત્રી અમને કેવી રીતે સુધારશે''
ખેડૂતોએ કાર્યક્રમના વિરોધની પહેલા જ જાહેરાત કરી દીધી હતી
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટ ઘણું સક્રિય હતું
હિંસાના 15 કલાક પહેલા DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ પણ બદલી દેવાયો
હતો
કેશવ પ્રસાદને હેલિકોપ્ટરની જગ્યાએ રોડમાર્ગેથી જવા કહેવાયું હતું
કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી
ગૃહ રાજ્યમંત્રીએ લોકલ ઇન્ટેલિજન્સની વાતને ન માની
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી
કેન્દ્રીય મંત્રીએ ચેતવણીને નજરઅંદાજ કરી અને 40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા
ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો રૂટ પણ બદલી દેવાયો
બપોરે 40થી વધુ કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો
તિકોનિયા બનવીરપુર ગામથી અંદાજે 4 કિલોમીટર દૂર છે જ્યાં ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો
કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો તો ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા તિકોનિયા પાસે પહોંચ્યા અને વિવાદ થયો
અજય મિશ્રાના દીકરા પર આશીષ પર આરોપ છે કે તેણે ખેડૂતો પર કાર ચઢાવી દીધી
ખેડૂતોને આ અંગે જાણ થતા હિંસા વધુ ભડકી હતી અને ખેડૂતો રોષે ભરાયા હતા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ રાજનીતિ ગરમાઈ છે. યૂપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતા સ્થળ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જોકે પ્રશાસને તેમની અટકાયત કરી નથી. ત્યારે સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતા તેની તપાસના આદેશ આપ્યા હતા.
આની પહેલા સમગ્ર મામલામાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુધ્ધ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને બળવા સહિત અનેક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે તમામની આ મામલામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે. તેમના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોને 1-1 કરોડનું વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.