રાકેશ ટીકૈતે વચ્ચે રહીને તંત્ર અને ખેડૂત સંગઠનોનું સમાધાન કરાવ્યું
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો પરંતુ રાકેશ ટીકૈતે પોલીસ તંત્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે સમાધાન કરાવીને આ આખી આગ ઠારી નાખી હતી જોકે તેના માટે યોગી સરકારે એક ચાલ ચલી હતી.
લખીમપુરમાં ખેડૂતો પરના અત્યાચારના સમાચાર વહેતા થયા બાદ પ્રિયંકા, અખિલેશ, જયંત ચોધરી સહિતના બીજા કેટલાક રાષ્ટ્રીય નેતાઓ લખીમપુર તરફ નીકળી પડ્યાં હતા પરંતુ યોગી સરકારે તાબડતોબ કાર્યવાહી કરીને પ્રિયંકાને સીતાપુરમાં, ચંદ્રશેખર આઝાદને સીતાપુર ટોલ પ્લાઝા પર અને શિવપાલ, અખિલેશ અને જયંત ચોધરીને લખીમપુર પહોંચતા પહેલા અટકાયતામાં લઈ લેવાયા.
#WATCH मृतकों के परिवार को 45 लाख रुपये का मुआवजा सरकार के द्वारा दिया जाएगा। घायलों को 10 लाख रुपये का अनुदान शासन द्वारा दिया जाएगा। मृतकों के घर के एक सदस्य को योग्यता के आधार पर नौकरी दी जाएगी: लखीमपुर खीरी में हुई घटना पर प्रशांत कुमार, ADG (क़ानून-व्यवस्था), उत्तर प्रदेश pic.twitter.com/gZSBFfcDxW
લખીમપુર જવાની જાહેરાત કરનાર લગભગ તમામ નેતાઓને અટકાયતમાં લઈ લેવાયા. યોગી સરકારે ફક્ત ખેડૂત નેતા રાકેશ ટીકૈતને લખીમપુર જવાની પરમિશન આપી અને રાકેશ ટીકૈતનું લખીમપુરમાં જવું યોગી સરકાર માટે મોટી રાહત બની.
રાકેશ ટીકૈતે વચ્ચે પડીને તંત્ર સાથે ખેડૂતો સંગઠનોનું સમાધાન કરાવ્યું
રાકેશ ટીકૈત ગાઝીપુર બોર્ડરેથી રાતના જ લખીમપુર જવા રવાના થઈ ગયા અને મોડી રાતે લખીમપુરના તિકુનિયાના ગુરુદ્વારામાં પહોંચ્યાં જ્યાં ચાર ખેડૂતોની લાશ રખાઈ હતી. ખેડૂતો મૃતકોના પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતા. પરંતુ રાકેશ ટીકૈતે વચ્ચે પડીને તંત્ર સાથે ખેડૂતો સંગઠનોનું સમાધાન કરાવ્યું.