આશિષ મિશ્રાની ગાડીથી ખેડૂતોને કચડી મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો સામે આવી રહ્યો છે. વિપક્ષી દળોએ તેને સોશિયલ મીડિયા પર મુક્યો છે.
આશિષ મિશ્રાની ગાડીથી કચડાયેલા ખેડૂતોના મોત
નવો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ
નેતાઓએ વીડિયો શેર કરતા આને ઘટના નહીં પણ હત્યા ગણાવી
આશિષ મિશ્રાની ગાડીથી કચડાયેલા ખેડૂતોના મોત
યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી કચડાયેલા ખેડૂતોના મોત અને તે બાદ થયેલી અથડામણનો વીડિયો સામે આવી રહ્યો છે. એક નવો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેને યૂપી કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત તમામ નેતાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા આને ઘટના નહીં પણ હત્યા ગણાવી છે. વીટીવી વેબ સાઈટ આની ખરાઈ નથી કરતી.
क्या इसके बाद भी कोई प्रमाण चाहिये?
देखिये सत्ता के अहंकार में चूर गुंडे ने किसानो को अपनी गाड़ी के नीचे कैसे रौंदकर मार दिया कुछ चैनल ज्ञान दे रहे थे मंत्री का बेटा जान बचाने के लिए भागा।#किसान_हत्यारी_भाजपाpic.twitter.com/D9Mb4Iu7qm
વીડિયો ટ્વીટ કરતા યૂપી કોંગ્રેસે લખ્યું ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યો હતો ન કોઈ ખેડૂક ગાડી પર પથ્થર મારો કરી રહ્યો હતો. મંત્રીનો દીકરો પોતાના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો. ખેડૂતોને નિર્દયતાથી પાછળથી કચડી રહ્યો હતો. હવે બધુ જ સામે આવ્યું છે. આપના રાજ્યસભા સાંસદે પણ વીડિયો ટ્વીટ કરી લખ્યું કે શું હજું પણ કોઈ પ્રમાણની જરુર છે. તેમણે કેટલીક મીડિયા ચેનલ પર પણ સવાલ ઉભા કર્યા છે.
પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડ બેઠક બાદ સહમતિ બની ગઈ
ઉલ્લેખનીય છે કે સોમવારે લખીમપુર ખીરી પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે અનેક રાઉન્ડ બેઠક બાદ સહમતિ બની ગઈ. જે બાદ મૃતદેહ રાખીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને પ્રદર્શન ખતમ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની પરવાનગી આપી. પ્રશાસને ખેડૂતોની તે માંગોને માની લીધી. મૃતકોના પરિવારજનોને 45-45 લાખનું વળતર, ઘાયલોને 10-10 લાખ રુપિયાનું દાન. મૃતક ખેડૂતોના પરિવારના એક સભ્યને યોગ્યતા અનુસાર સરકારી નોકરી, મામલાની તપાસ હાઈકોર્ટના રિટાયર્ડ જજ દ્વારા વધુ 8 દિવસમાં મામલાની તપાસ કરી ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.