લખીમપુર ખીરી હિંસા સાથે જોડાયેલા 24 લોકોની ઓળખ થઈ છે.
લખીમપુર ખીરી હિંસામાં 24 લોકોનોની ઓળખ કરાઈ
આશિષ મિશ્રાના સમર્થકોએ ખેડૂતો સાથે ક્રૃર વર્તન કર્યુ
પોલીસે 7 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી
લખીમપુર ખીરી હિંસામાં 24 લોકોનોની ઓળખ કરાઈ
યુપીને લખીમપુર ખીરીમાં રવિવારે સાંજે ખેડૂતો અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાના સમર્થકોની વચ્ચે હિંસક અથડામણની તપાસ એટીએફ કરશે. મળતી જાણકારી મુજબ એટીએફ સોમવારે સાંજથી જ તપાસ પોતાના હાથમાં લઈ લેવામાં આવશે. બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે. સાથે પોલીસે 7 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે
આની પહેલા સમગ્ર મામલામાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુધ્ધ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને બળવા સહિત અનેક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે તમામની આ મામલામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે. તેમના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોને 1-1 કરોડનું વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.
રાજકારણ પણ ચરમ પર
આ દરમિયાન આ મામલાને લઈને લખીમપુર ખીરીથી લખનૌ સુધી બબાલ મચી ગઈ અને ભારે રાજકારણ ચાલુ છે. પોલીસે લખીમપુર જવાની જીદ્દ પર અડેલા અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, શિવપાલ યાદવ, રામગોપાલ યાદવ, સંજય સિંહ સહિત તમામ નેતાઓની ધરપકડ કરી છે. વિપક્ષનો આરોપ છે કે તેમને પીડિતોને મળવા દેવામાં નથી આવી રહ્યા.
રાજકારણ ન કરે વિપક્ષ
બીજી તરફ વિપક્ષના વલણ પર કડકાઈ અપનાવી રહેલા યોગી સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે વિપક્ષ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ કરી રહી છે. આની પરવાનગી કોઈને ન આપી શકાય. તેમણે કહ્યું કે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. ખુદ સીએમ આનું અવલોકન કરી રહ્યા છે. કોઈ તપાસ વગર કોઈ પરિણામ પર પહોંચવું યોગ્ય નથી. મામલાના ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે.