સુપ્રીમ કોર્ટે એક ગંભીર ટીપ્પણી કરતા એવું જણાવ્યું કે લખીમપુર હિંસાની જવાબદારી કોણ લેશે. ખેડૂત સંગઠનોની અરજી પર સુપ્રીમે આવું જણાવ્યું હતું.
લખીમપુર ખીરીમાં બબાલની વચ્ચે પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે થયું સમાધાન
સુપ્રીમે કહ્યું, જ્યારે હિંસા થાય છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી હોતું
સંયુક્ત કિસાન મોરચાએ અજય મિશ્રા પર કાર્યવાહી માટે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
આ ઘટનાનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, જો આવી ઘટનાઓ બને તો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધીઓનો દાવો છે કે તેમનું પ્રદર્શન શાંતિપૂર્ણ છે પરંતુ હિંસા થાય ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બીજી તરફ કેન્દ્ર વતી કોર્ટમાં હાજર રહેલા જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું હતું કે લખીમપુર ખેરી જેવી ઘટનાઓને રોકવા માટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધને રોકવાની તાતી જરૂર છે.
લખીમપુર ખીરી જેવી ઘટનાઓ બને છે ત્યારે તેની જવાબદારી લેવા કોઈ આગળ આવતું નથી
કિસાન મહાપંચાયતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે જ્યારે લખીમપુર ખીરી જેવી ઘટનાઓ બને છે ત્યારે તેની જવાબદારી લેવા કોઈ આગળ આવતું નથી.
કિસાન મહાપંચાયતે સુપ્રીમમાં અરજી કરીને દિલ્હીના જંતરમંતર પર સત્યાગ્રહ કરવાની પરમિશન આપી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. કોર્ટે એવું પણ જણાવ્યું કે શું પ્રદર્શન કરવું મૂળભૂત અધિકાર છે કે નહીં તે વાતની પણ ચકાસણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર સવાલ ઉઠાવ્યો કે જ્યારે કાયદાના અમલ પર સ્ટે છે તો પછી વિરોધ કરવાનો શું અર્થ.
લખીમપુર જેવી ઘટનાઓ બનતી અટકાવવા આંદોલનની મંજૂરી ન મળવી જોઈએ-કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે જો આપણે લખીમપુર ખીરી જેવી ઘટનાઓ બનતી અટકાવવી હોય તો આપણે ખેડૂત આંદોલનની કદી પણ મંજૂરી ન આપવી જોઈએ. વેણુગોપાલે કહ્યું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બનવી જોઈએ. ખેડૂત આંદોલન પર સ્ટે મૂકી દેવો જોઈએ.
કોર્ટે એવું પણ જણાવ્યું કે અમે એ વાતની ખાતરી કરીશું કે શું કોઈ વ્યક્તિને આંદોલન કરવાનો અધિકાર છે કે નહીં. આ ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે હવે આ કેસની વધુ સુનાવણી 21 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી દીધી છે.