લખીમપુર ઘટનાને 72 કલાકથી વધારે સમય થઈ ચૂક્યો છે. પરંતુ પોલીસ અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ કરી શકી નથી.
લખીમપુર ઘટનાને 72 કલાકથી વધારે સમય થઈ ચૂક્યો, પણ...
આઈજી લખૌન બોલી - આશિષ મિશ્રા નામજોગ આરોપી
ખેડૂતો પર ગાડી ચઢાવવાનો વીડિયો સામે આવ્યો હતો
લખીમપુર ઘટનાને 72 કલાકથી વધારે સમય થઈ ચૂક્યો, પણ...
લખીમપુર ખીરીમાં થયેલી બબાલમાં 4 ખેડૂતો સહિત આઠ લોકોના જીવ ગયા છે. રવિવારે સાંજે બનેલી ઘટનાને 72 કલાકથી વધારે સમય થઈ ચૂક્યો છે. પરંતુ અત્યાર સુધી કોઈ આરોપીની ધરપકડ તો દૂર ખેડૂતોને કચડનારા અને પછી અન્ય ચારની હત્યા કરનારા આરોપીની ઓળખ સુદ્ધા પોલીસ કરી શકી નથી. એક આરોપીને ખબર પણ નથી કે તેની વિરુદ્ધ કેસ દાખલ થયો છે.
પોસ્ટ મોર્ટમ પર પણ સવાલ ઉઠી રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે 4 મૃતક ખેડૂતોના પોસ્ટ મોર્ટમ પર પણ સવાલ ઉઠી રહ્યા હતા. એક ખેડૂતનું ફરી પોસ્ટ મોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે. જો કે પ્રશાસન હવે કોઈ રીતે ખેડૂત સંગઠનો અને પરિવાજનોને સમઝાવી ચારેય ખેડૂતોનો અંતિમ સમસ્કાર કરાવી દીધો છે.
આઈજી લખૌન બોલી - આશિષ મિશ્રા નામજોગ આરોપી
ત્રણ દિવસ વીતી ગયા બાદ પોલીસની કાર્યવાહીમાં સ્પીડ જોવા નથી મળી રહી. આઈજી લખનૌ રેન્જ લક્ષ્મી સિંહ તરફથી નિવેદન આવ્યું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો દિકરો આશિષ મિશ્રા નામજોગ આરોપી છે. તેમણે કહ્યું કે આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. પરંતુ હજું સુધી પુછપરછ સુદ્ધા ન થવાના કારણે વિપક્ષની સાથે સાથે પીડિત પક્ષની ધીરજ ખૂટી રહી છે.
ખેડૂતો પર ગાડી ચઢાવવાનો વીડિયો સામે આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે રવિવારે લખીમપુર ખીરીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવવાનો વીડિયો સામે આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાડી આશિષ મિશ્રા ચલાવી રહ્યો હતો. જો કે ટેની અને આશિષ બન્નેએ આ વાતથી ઈન્કાર કર્યો છે. આશિષે ડોળ કરતા કહ્યું કે તેમની સામેની એફઆઈઆરની જાણકારી નથી.
ગાડીમાંથી ઉતરીને ભાગેલો આરોપી સુમિત
ઉલ્લેખનીય છે કે ગાડીમાંથી ઉતરીને ભાગેલો આરોપી સુમિત છે. સુમિતે કહ્યું કે તેમની ગાડી પર પથ્થર મારો થઈ રહ્યો હતો. જેના કારણે ગાડી કન્ટ્રોલની બહાર હતી. અને આ દરમિયાન આ ઘટના બની હતી.