લખીમપુર ખીરીમાં હિંસાની ઘટના બાદ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામઆ આવ્યા હતા પરંતુ કોઈને ગોળી વાગવાના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું નહોતું.
રવિવારે લખીમપુર ખીરીમાં રવિવારે થયેલ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આ તમામનું સોમવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો હતો કે મૃત્યુ લાઠી-દંડા અને માર મારવાના કારણે જ થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સમાં ગોળી મરવાની કોઈ ઘટનાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર નથી આવ્યું.
અંતિમ સંસ્કાર કરવાની ના
જો કે ગુરવિન્દર સિંહનાં પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટને ખોટી કહી ડેટા ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી અને અંતિમ સંસ્કાર કરવાની ના પડી દીધી હતી જેને પગલે આજે ફરી પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પરિવારજનોનો આક્ષેપ
ગુરવિન્દર સિંહનાં પરિવારજનોનો આક્ષેપ હતો કે ગુરવિન્દરનું મોત ગોળી વાગવાના કારણે થયું છે. ગુરવિન્દર મોહરનીયા ગામના રહેવાસી છે. તેઓના પરિવારજનોએ મંગળવારે ચોખ્ખી ના પડી દીધી હતી કે તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે.
ખેડૂત નેતા રાકેશ ટીકૈત પણ મંગળવારે ગુરવિન્દરના પરિજનોને મળ્યા હતા. ત્યાર બાદ તેઓને ઘણું મનાવ્યાં બાદ ટીકૈત સાથે વાતચીત બાદ ફરી પોસ્ટમોર્ટમ માટે રાજી થયા હતા અને મોદી રાત્રે લખનૌથી ડોક્ટર્સની ટીમ બહરાઇચ આવી હતી અને ફરી પોસ્ટમોર્ટમ કરવામઆ આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ રાજનીતિ ગરમાઈ છે. યૂપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતા સ્થળ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો હતો કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જોકે પ્રશાસને તેમની અટકાયત કરી ન્હોતી. ત્યારે સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતા તેની તપાસના આદેશ પણ આપ્યા હતા.
લખીમપુર ખીરી હિંસાનો ઘટનાક્રમ
લખીમપુર ખીરીમાં DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ હતો
2 ઓક્ટોબરે DyCM કેશવ પ્રસાદનો લખીમપુર જવાનો કાર્યક્રમ નક્કી હતો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનવીરપુરમાં દંગલ
પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતા
ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો
અજય મિશ્રાના બનવીરપુર ગામથી 4 કિલોમીટર દૂર મહારાજા અગ્રસેન ઇન્ટર
કોલેજમાં DyCMના હેલિકોપ્ટરનું હેલિપેડ બનાવાયું હતું
26 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધમાં અજય મિશ્રાએ વિવાદીત નિવેદન પણ આપ્યું
હતું
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ
ખેડૂતોમાં રોષ હતો
અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇ ખેડૂતો સવારના 6 વાગ્યાથી જ
હેલિપેડ પાસે એકઠા થઇ ગયા હતા
સવારના 8 વાગ્યા સુધી 5 હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને હાથમાં કાળો
ઝંડો લઇ હેલીપેડ પર કબજો કરી લીધો હતો
ખેડૂતોને પોલીસે સમજાવ્યા પરંતુ ખેડૂતો ન માન્યા
ખેડૂતોએ કહ્યું,''મંત્રીએ અમને પડકાર આપ્યો છે કે તેઓ અમને સુધારી દેશે''
ખેડૂતોએ કહ્યું,''અમે પણ જોવા માગીએ છીએ કે મંત્રી અમને કેવી રીતે સુધારશે''
ખેડૂતોએ કાર્યક્રમના વિરોધની પહેલા જ જાહેરાત કરી દીધી હતી
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટ ઘણું સક્રિય હતું
હિંસાના 15 કલાક પહેલા DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ પણ બદલી દેવાયો
હતો
કેશવ પ્રસાદને હેલિકોપ્ટરની જગ્યાએ રોડમાર્ગેથી જવા કહેવાયું હતું
કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી
ગૃહ રાજ્યમંત્રીએ લોકલ ઇન્ટેલિજન્સની વાતને ન માની
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી
કેન્દ્રીય મંત્રીએ ચેતવણીને નજરઅંદાજ કરી અને 40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા
ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો રૂટ પણ બદલી દેવાયો
બપોરે 40થી વધુ કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો
તિકોનિયા બનવીરપુર ગામથી અંદાજે 4 કિલોમીટર દૂર છે જ્યાં ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો
કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો તો ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા તિકોનિયા પાસે પહોંચ્યા અને વિવાદ થયો
અજય મિશ્રાના દીકરા પર આશીષ પર આરોપ છે કે તેણે ખેડૂતો પર કાર ચઢાવી દીધી
ખેડૂતોને આ અંગે જાણ થતા હિંસા વધુ ભડકી હતી અને ખેડૂતો રોષે ભરાયા હતા
આની પહેલા સમગ્ર મામલામાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુધ્ધ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને બળવા સહિત અનેક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે તમામની આ મામલામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે. તેમના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોને 1-1 કરોડનું વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.