લખીમપુર ખીરી હિંસા મામલામાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા ઉર્ફ મોનૂની આજે 129 દિવસ બાદ જેલમાં છૂટકારો થયો છે. દેશના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દિકરા આશીષ મિશ્રાને હાઈકોર્ટમાંથી ગત ગુરૂવારે જામીન મળી ગયા છે.
લખીમપુર ખીરી હિંસાનો મુખ્ય આરોપી બહાર આવ્યો
4 મહિના બાદ જેલમાંથી છૂટ્યો
9 ઓક્ટોબરના રોજ કરી હતી ધરપકડ
લખીમપુર ખીરી હિંસા મામલામાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા ઉર્ફ મોનૂની આજે 129 દિવસ બાદ જેલમાં છૂટકારો થયો છે. દેશના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દિકરા આશીષ મિશ્રાને હાઈકોર્ટમાંથી ગત ગુરૂવારે જામીન મળી ગયા છે. ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકુનિયામાં થયેલા હિંસા મામલે આશીષ મિશ્રાને 9 ઓક્ટોબરના દિવસ ધરપકડ કરવામાં આવ્યો હતો.
અગાઉ જામીનમાં છૂટી શક્યો નહોતો
હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ જામીન આપ્યા બાદ કહ્યુ હતું કે, દસ્તાવેજી કાર્યવાહી પુરી થતાં જ આશીષ મિશ્રાને લખીમપુર જેલમાંથી છોડી મુકવામાં આવશે. પણ બાદમાં તે છૂટો થઈ શક્યો નહોતો. કારણ હતું તેના જામીન આદેશમાં બે ધારા નહોતી.
Ashish Mishra, the son of MoS Home Ajay Mishra Teni and prime accused in Lakhimpur Kheri violence walks out of jail after being released on bail. pic.twitter.com/R06vruRBbJ
હકીકતમાં લખીમપુર પોલીસે આશીષ મિશ્રા પર ક્રાઈમ નંબર 219/21 પર FIR નોંધાવી હતી. દાખલ કરવામા આવેલી ચાર્જશીટમાં IPCની કલમ 147,148,148,302,307,326,34,427 અને 120બીની સાથે 3/25,5/27 તથા 39 આર્મ્સ એક્ટ સામેલ હતી.
#WATCH Ashish Mishra, son of MoS Home Ajay Mishra Teni, accused in the Lakhimpur Kheri violence case released on bail pic.twitter.com/11f2CmyFCc
હાઈકોર્ટની લખનઉ બેંચની સુનાવણી બાદ આશીષ મિશ્રાને જે ધારાઓમાં જામીન આપવામાં આવ્યા તેમાં IPCની કલમ 147,148,149,307,326,427/34, 30 આર્મ્સ એક્ટ, 177 એમવી એક્ટ છે. જામીન ઓર્ડરમાં ધારા 302, 120 બી લખેલી હતી. જ્યારે નિયમ મુજબ આરોપીને જે ધારામાં જેલમાં બંધ થાય, તે તમામ ધારામાં જામીન મળ્યા બાદ છૂટો થાય.
આ જ કારણ છે કે, શુક્રવારે આશીષ મિશ્રાના વકીલે હાઈકોર્ટમાં બેલ ઓર્ડરની કરેક્શન એપ્લીકેશન નાખવી પડી. સોમવારે સુનાવણી થયા બાદ કોર્ટે પોતાના આદેશમાં લખ્યું કે, આશીષ મિશ્રાની જામીન ઓર્ડરમાં આઈપીસી 302 અને 120 બી જોડવામાં આવી છે.