લખીમપુર ખીરી કાંડ બાદથી વિપક્ષી દળો તરફથી થઇ રહેલી રાજીનામાની માંગ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેનીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
નિવેદનબાજીથી બચવાની અમિત શાહે આપી સલાહ
હજુ સુધી મિશ્રાના પુત્રના હોવાની વાત સાબિત નથી થઇ
લખીમપુર ખીરી હિંસામાં થઇ ચૂક્યા છે 10 લોકોના મોત
તેમણે મુલાકાત કરીને ઘટનાક્રમ પર સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ અને તેમના પુત્ર બન્ને નિર્દોષ છે. આ ઘટના એક રાજકીય ષડયંત્ર છે. વિપક્ષ દબાણ ઉભૂ કરીને ભાજપની છબી ખરાબ કરવા માંગે છે.
નિવેદનબાજીથી બચવાની મળી સલાહ
જણાવવામાં આવ્યું છે કે, અમિત શાહે તેમની તમામ વાતો ધ્યાનથી સાંભળી અને નિવેદનબાજીથી બચવાની સલાહ આપી. જોકે સૂત્રોના અનુસાર હજુ સુધી રાજીનામાં અંગે કંઇ નથી કહેવામાં આવ્યું. મંગળવાર બપોરે મિશ્રા નાર્થ બ્લાક સ્થિત પોતાના કાર્યલય આવ્યા હતા. ત્યાં થોડીવાર રોકાયા બાદ તેઓ અમિત શાહની ઓફિસ પહોંચ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને બોલાવવામાં નહોતા આવ્યા પરંતુ તેઓ ખુદ સમય લઇને ગયા હતા અને સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી.
કિસાનો વચ્ચે ઉગ્રવાદીના હોવાનો પણ લગાવ્યો આરોપ
અમિત શાહ તરફથી શું કહેવામાં આવ્યું તેની સ્પષ્ટ માહિતી નથી મળી પરંતુ સૂત્રોનું માનવું છે કે, મિશ્રના રાજીનામાની વિપક્ષની માંગને સ્વીકાર નહીં કરવામાં આવે. ખુદ મિશ્રા વારંવાર કહી ચૂક્યા છે કે ઘટનાસ્થળે તે અથવા તેમના પુત્રમાં કોઇ હાજર નહોતું. તેમની ગાડી જરૂર પોતાના કેટલાક લોકોને લાવવા માટે ગઇ હતી. મિશ્રએ ખેડૂતો વચ્ચે ઉગ્રવાદીઓ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમના પુત્રના હાજર હોવાનો આરોપ જરૂર લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ કોઇ પણ વીડિયોમાં હજુ સુધી મિશ્રના પુત્રના હોવાની વાત સાબિત નથી થઇ શકી. તેવામાં માત્ર આરોપના આધારે કાર્યવાહી મુશ્કેલ છે.
લખીમપુર ખીરી હિંસામાં થઇ ચૂક્યા છે 10 લોકોના મોત
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે થયેલી હિંસામાં અંદાજિત 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. તેમાં 4 ખેડૂતોના મોત વાહનમાં કચડાવાથી થયા જ્યારે 3 ભાજપ કાર્યકર્તાઓ અને 1 પત્રકારને ખરાબ રીતે માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો.