સુરેન્દ્રનગરના ચોકડી ગામે અરેરાટી મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એકજ પરિવારના ત્રણ લોકો તળાવમાં ડૂબ્યા છે. એક બાળકને બચાવવા જતા અન્ય બે લોકો ડૂબ્યા. આ ઘટનામાં એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે.
સુરેન્દ્રનગરના ચોકડી ગામમાં 3 લોકો તળાવમાં ડૂબ્યા
બાળકને બચાવવા જતા અન્ય બે લોકો પણ ડૂબ્યા
ડૂબવાથી પરિવારના ત્રણેય સભ્યોના મૃત્યુ
સુરેન્દ્રનગરના ચોકડી ગામમાં એક બાળક પડ્યું હતું. આ બાળકને બચાવવા અન્ય 2 લોકોએ પણ તળાવમાં ઝંપવાવ્યું હતું. જોકે આ ઘટનામાં એક જ પરિવારના ડૂબવાથી મોત નિપજ્યાં છે. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. તો પોલીસ અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી હતી. આ ટીમ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.