પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફને જામીન મળી ગયા છે. તબિયત ખરાબ હોવાને કારણે નવાઝ શરીફને જામીન મળી ગયા હતા. તેને પાકિસ્તાનના લાહોર હાઈકોર્ટથી મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી ગયા છે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફને જામીન
લાહોર હાઇકોર્ટે આપ્યા જામીન
શરીફની તબિયત છેલ્લા કેટલાક સમયથી છે ખરાબ
હાલ નવાઝ શરીફની તબિયત ખરાબ છે. આર્મીની સર્વિસ હોસ્પિટલ મુજબ નવાઝ શરીફની હાલત નાજુક છે. ગુરુવારે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં તબીબી કારણોસર તેના ભાઇ માટે જામીન માટે અરજી દાખલ કરી હતી.
મોડી રાતે પ્લેટલેટ ઘટી ગયા બાદ લેવાયો નિર્ણય
સોમવારે મોડી રાત્રે પ્લેટલેટ ઘટી ગયા બાદ રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો(NB)ના લાહોર કાર્યાલયથી સર્વિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે, પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી નવાઝ શરીફે સારવાર આપતા મેડિકલ બોર્ડે કહ્યું હતું કે પીએમએલ-એન ચીફ તીવ્ર રોગપ્રતિકારક થ્રોમ્બોસાયટોપેનિક પરપ્યુરા (આઈટીપી) સામે લડી રહ્યા છે અને તેને સાજા થવા માટે એક અઠવાડિયાનો સમય લાગશે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલો અનુસાર, એક ડોક્ટરે કહ્યું કે માંદગીની પુષ્ટિ થયા પછી સારવાર શરૂ થઈ છે.
Pakistan: Lahore High Court has granted bail to former Pakistan Prime Minister Nawaz Sharif, on medical grounds, in the Chaudhry Sugar Mills case. (file pic) pic.twitter.com/Bk72ZnIiPw
તેમણે કહ્યું કે આ રોગની સારવાર પાકિસ્તાનમાં શક્ય છે અને નસોના માધ્યમથી સારવાર શરૂ થઈ છે. ડોક્ટરે કહ્યું, 'અપ્લાસ્ટિક અનેમિયા નથી અને તેમના ડબ્લ્યુબીસી કાઉન્ટ પણ સામાન્ય છે. જો કે, પ્લેટલેટ્સ જરૂર ઓછા છે.
તેમણે કહ્યું કે શરીફનો બોનમેરો પણ સામાન્ય રીતે કામ કરે છે અને લોહીનું નિર્માણ કરે છે. જો કે, બુધવારના રોજ તેમના પ્લેટલેટ્સ ફરી એકવાર ઘટીને 7000 ખતરનાક સ્તર સુધી પહોંચી ગયા છે.